Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.ના ૧ર સ્ટાફ કવાર્ટરના પ૩૦૦ મકાન રિ-ડેવલપ થશે

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન જર્જરીત અને ભયજનક અનેક મકાનો ધરાશયી થયા છે. સપ્ટેમ્બર ર૦૧૮માં ઓઢવના શિવમ એપાર્ટમેન્ટથી શરૂ થયેલ હોનારતોના પગલે રાજય સરકારે “જાહેર આવાસોનો પુનઃ વિકાસ” કરવા પર ભાર મુકયો છે. ગુજરાત હાઉસીગ બોર્ડ તથા મ્યુનિ. કોર્પોરેશનના ભયજનક મકાનો નો સર્વે કર્યા બાદ તે જ સ્થળે પર રહીશોને નવા મકાનો આપવાની નીતિનો અમલ થઈ રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશને રીડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીગ (પી.પી.પી) યોજના અંતર્ગત ર૮ સ્થળે સર્વે કર્યા છે. જે પૈકી દસ સ્થળે સ્થાનિક રહીશોની સમંતિ બાદ રી-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૈ પૈકી રાજય સરકાર દ્વારા સાત સ્થળે રિ ડેવલોપમેન્ટ માટે કાયદેસર મંજુરી અપાઈ ગઈ છે તેમજ ત્રણની મંજુરી બાકી છે. જયારે સોમવારે વધુ બે હેલ્થ સ્ટાફ કવાર્ટરના રિ ડેવલોપમેન્ટ માટે મંજુરી આપવામાં આવી છે.

શહેરના જર્જરીત મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા માટે રાજય સરકારે ર૦૧૬માં “રીડવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીગ” યોજના જાહેર કરી હતી પરંતુ તેનો નકકર અમલ થયો ન હતો પરંતુ છેલ્લા એક વર્ષ દરમ્યાન શિવમ એપાર્ટમેન્ટ, સોનરીયા બ્લોક સહીત અનેક મકાનો તૂટી પડવાની દુર્ઘટના થયા બાદ સરકાર અને મનપાના અધિકારીઓ સફાળા જાગૃત થયા છે.

મ્યુનિ. કોર્પોરેશને સ્ટ્રકચર એન્જીનીયરોની ટીમ તૈયાર કરાવી આવાસોના સર્વે કરાવ્યા છે. જેમાં મકાનોની સ્થિતિ અને રહીશોની સમંતિ થઈ ને ધ્યાનમાં લઈ ૧ર સ્થળે “રી-ડેવલપમેન્ટ” યોજન અંતર્ગત નવા મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં બાપુનગરના સોનરીયા બ્લોક, ગોમતીપુરના સુખરામનગર હેલ્થ સ્ટાફ કવાર્ટસ, ખોખરાના નવા અને જુના મ્યુનિ. સ્લમ કવાર્ટસનો સમાવેશ થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સદ્દર યોજના અંતર્ગત પ૩૧૧ નવા મકાન બનાવવામાં આવશે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ “રી-ડેવલપમેન્ટ” પોલીસી અંતર્ગતકુલ ૧૬પ બ્લોકના ૪પ૦૦ મકાનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉ મંજુર કરવામાં આવેલ ૧૦ હેલ્થ સ્ટાફ કવાર્ટસ ઉપરાંત સોમવારે વીરમાયા નગર જમાલપુર તેમજ અમરાઈવાડી હેલ્થ સ્ટાફ કવાર્ટસના રિ- ડેવલેપમેન્ટ માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. વીરમાયાનગરમાં ૬૪ અને અમરાઈવાડીમાં ૬૭ર યુનિટના રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પો. દ્વારા અગાઉ જે ૧૦ સ્થળે રિ- ડેવલોપમેન્ટની દરખાસ્ત તૈયાર કરી સરકાર સમક્ષ રજુ કરવામાં આવી હતી તે પૈકી ખોખરા (જુના અને નવા) તેમજ વિજયમીલની દરખાસ્તને હજી મંજુરી મળી નથી જયારે અન્ય સાત સ્થળ માટે મંજુરી મળી ગયેલ છે જેમાં શિવમ – ઓઢવનો પણ સમાવેશ થાય છે.

રિ-ડેવલપમેન્ટ યોજના માટે જે તે આવાસ યોજનાના ૬૦ ટકા રહીશોની સમંતિ જરૂરી છે. રહીશો ની સમંતિ મળ્યા બાદ જ નવા આવાસ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. હાલ, જે સ્ટાફ કવાર્ટર કેઆવાસ યોજનાને રી-ડેવલપમેન્ટ કરવા સંમતિ મળી છેકે તે સ્થળે સાત માળના બ્લોક બનાવવામાં આવશે. સ્થાનિક રહીશોને હયાત મુળ બાંધકામ સામે ૪૦ ટકા વધુ બાંધકામ આપવામાં આવશે.

બિલ્ડર દ્વારા રિ-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવે તે સમયથી બી.યુ. ઈસ્યુ થાય ત્યાં સુધી રહીશોને ભાડાની રકમ બિલ્ડરે આપવાની રહે છે. મકાનો તૈયાર થયા બાદ ડ્રો સીસ્ટમ દ્વારા જ તેની ફાળવણી કરવામાં આવશે. નવા જી.ડી.સી.આર.ને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં દસ માળના બ્લોક બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે.

રીડેવલપમેન્ટ પોલીસી ર૦૧૬ માં ર૮ પબ્લીક હાઉસીંગ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેના સર્વે પુરા થઈ ગયા છે. જે પૈકી ૧રમાં સમંતિ મળી છે. ભાડુઆત કે કરાર કર્યા વિના વેચાણ લેનારના નામે મકાન તબદીલ કરી આપવામાં આવશે નહી. જયારે બિલ્ડરોને જે તે સ્થળે સ્કીમના ડેવલપમેન્ટ બાદ બાકી રહેલી જમીનનો લાભ આપવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.