Western Times News

Gujarati News

બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ત્રણનાં મોત

બનાસકાંઠા: બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગઇકાલે મોડી સાંજે બે બાઇક સામ સામે ટકરાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.

જેમાં આજે વધુ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે વિરમપુર ધનપુરા જતા રોડ પર ગઈકાલે મોડી સાંજે પુરપાટ ઝડપે આવી ગયેલા બે બાઇક સામ સામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક પર સવાર ૪ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

બનાવ ને પગલે આજુબાજુના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યકિતનું મોત થયું હતું.

બાદમાં આજે સારવાર દરમ્યાન વધુ બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજતાં મૃત્યુ આંક ત્રણ થયો છે. અકસ્માતમાં સાયબભાઈ લાલભાઈ ખોખરીયા, કાળાભાઈ લક્ષ્મણભાઈ ગમાર અને સોમાભાઈ ભીખાભાઈ માણસા નું મોત થયું છે.

બનાવને પગલે અમીરગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ તાલુકાના પેડચોળી ગામના કાળુભાઈ લખમાભાઈ ગમાર તેમના ભાઈઓ સાથે પાલનપુરના બાદરપુરા ગામે ભાગીયા તરીકે રહેતા હતા.

જેઓ મોબાઈલ ખરીદવા નીકળ્યા હતા અને પેડચોળી ગામે ગયા હતા. જ્યાં અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સામેના બાઇક ઉપર સવાર યુવકો રામપુરા વડલાથી વિરમપુર આવી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.