Western Times News

Gujarati News

ચીનના નિવેદન પર ભારતે જવાબ ન આપ્યો તે આશ્ચર્યજનક: સ્વામી

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ માટે તૈયાર રહેવાને લઇ આદેશ આપી ચુકયા છે.પરંતુ ભારત તરફથી તેના પર કોઇ જવાબ કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી જેને લઇ સ્વામી હૈરાન છે.

સ્વામીએ ટ્‌વીટ કર્યું કે ચીનના સુપ્રીમો શી જિનપિંગ જાહેર રીતે એલએસી પર તહેનાત ચીની સૈનિકોને કહી ચુકયા છે કે જંગ માટે તૈયાર રહો આ હૈરાન કરનાર છે કે આપણી સરકારે તેના પર જવાબ આપ્યો નહીં કે હાં અમે પણ તમને ઘરે મોકલવા તૈયાર છીએ સીધી રીતે કે આડી પધ્ધતિથી જેવી તમારી ઇચ્છા હોય તેવી રીતે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.