Western Times News

Gujarati News

ખુરશીના મોહમાં નીતીશે બિહારને બરબાદ કર્યું: લાલુ

પટણા, રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીએ રાજય સરકાર પર ભારે પ્રહારો કર્યા છે એક ટ્‌વીટમાં લાલુ પ્રસાદે કહ્યું કે ખુરશીના મોહમાં નીતીશકુમારે બિહારને બરબાદ કરી દીધુ છે. તેમણે કહ્યું કે ૨૦૧૦ની ચુંટણીમાં બહુમતિ પ્રાપ્ત કર્યા બાદ સાથી પક્ષની સાથે વિશ્વાસઘાત કર્યો અને ૨૦૧૫માં અમારા દમ પર જીત્યા બાદ દગો આપ્યો લાલુ પ્રસાદે લખ્યું છે કે નીતીશની કોઇ નીતિ નિયમ અને નિયત નથી હવે તે નેતા પણ રહ્યાં નથી.

જયારે પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદના પત્ની રાબડીદેવીએ પોતાના ટ્‌વીટમાં આરોપ લગાવ્યો કે જદયુ ભાજપે બળાત્કારીઓ અને તેમના સંરક્ષકોને ટિકિટથી નવાજયા છે રાજયમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી તેમણે દાવો કર્યો કે બિહારને નીતીશકુમારે બળાત્કારી પ્રદેશ બનાવી દીધો છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુકોના આંકડા તેના પુરાવા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.