Western Times News

Gujarati News

પાક.માં ૧૩ વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ, લોકોમાં ગુસ્સો

કરાંચી, પાકિસ્તાનમાં ૧૩ વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને લઇને લોકોનો ગુસ્સો ભડકયો છે કરાંચીમાં લોકોએ પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી જાે કે આ પ્રદર્શનનો કોઇ ફાયદો થશે તેવી ખુબ જ ઓછી સંભાવના છે કારણ કે પાકિસ્તાનમાં લધુમતિઓ પર ધાર્મિક અત્યાચારની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે.

મોટાપાયે ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધૂની રાજધાની કરાંચીમાં ૧૩ ઓકટોબરના રોજ ખ્રિસ્તી છોકરી આરજુ રાજા ધોળેદહાડે રેલવે કોલોની સ્થિતિ તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યુ હતું પછી પોલીસે પીડિત પરિવારને જણાવ્યું કે આરજુએ પોતાની મરજીથી ઇસ્લામ કબુલ કરી લીધો છે.અને ૪૪ વર્ષના અપહરણકર્તા અલી અઝહર સાથે લગ્ન કરી લીધા છે.

આરજુના પરિવાર પોલીસની આ દલીલ માનવા તૈયાર નથી તેને લેખિત ફરિયાદ નોંધાવી છે અને બાળકીની સુરક્ષિત વાપસી માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે ચોંકાવનારી વાત એ છે કે આ પહેલા હાઇકોર્ટે બાળકીના નિકાહને યોગ્ય ગણાવતા પોલીસે મુખ્ય આરોપી પર કોઇ કાર્યવાહી ન કરવા માટે કહ્યું હતું તો બીજી તરફ છોકરીની માતા રીતા મસીહનો આરોપ છે કે કોર્ટ પરિસરમાં કેટલાક લોકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી.

બ્રિટીશ સાંસદોના ક્રોસ પાર્ટી ગ્રુપે આ ઘટનાની ટીકા કરી છે સાથે જ ગ્રુપના પાકિસ્તાન સરકારે અપીલ પણ કરી હતી કે પીડિત પક્ષને તાકિદે ન્યાય અપાવવામાં આવે એ યાદ રહે કે પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ઘટનાઓ વધી રહી છે એક અનુમાન મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે ૧૦૦૦થી વધુ ખ્રિસ્તી અને હિન્દુ મહિલાઓ છોકરીઓના અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક પરિવર્તન કરાવીને કોઇ મુસ્લિમ યુવક સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે.પીડિતોમાં મોટાભાગની ઉમર ૧૨ વર્ષથી ૨૫ વર્ષની વચ્ચે હોય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.