Western Times News

Gujarati News

છેલ્લા ચોવીસ કલાકમાં ૩૮૦૭૪ કોરોનાના નવા કેસ

Files Photo

નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં તાજેતરના દિવસોમાં સૌથી મોટો ધટાડો નોંધાયો છે.ગત ૨૪ કલાકમાં ૩૮,૦૭૪ નવા મામલા સામે આવ્યો છે જે સોમવારે સામે આવેલ ૪૫,૯૦૩ મામલાની સરખામણીમાં ખુબ ઓછા છે.જયારે આ દરમિયાન દૈનિક મોતોમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે સતત બીજા દિવસે મૃતકોની સંખ્યા ૫૦૦થી ઓછી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૮,૦૭૪ નવા મામલા સામે આવ્યા છે જયારે કોવિડ ૧૯ને કારણે આ દરમિયાન ૪૪૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા ૮૫,૯૧,૭૩૧ છે.

આંકડા અનુસાર દેશમાં વાયરસના સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૭૯,૫૯,૪૦૬ છે ગત ૨૪ કલાકમાં ૪૨,૦૩૩ દર્દી વાયરસથી સંક્રમણમુકત થઇ હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે જયારે દેશમાં સક્રિય મામલાની સંખ્યા સતત છ લાખથી ઓછા બનેલ છે. મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સક્રિય મામનલાની સંખ્યા ૫,૦૫,૨૬૫ છે ગત ૨૪ કલાકમાં તેમાં ૪,૪૦૮ની કમી થઇ છે જયારે કોરોનાને કારણે જીવ ગુમાવનારાઓ લોકોની સંખ્યા ૧,૨૭,૦૫૯ થઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.