Western Times News

Gujarati News

દિલ્હીમાં ચોવીસ કલાકમાં ૭૫૪૬ કોરોનાના કેસો

Files Photo

નવીદિલ્હી, દિલ્હીમાં ગુરૂવારે કોરોના વાયરસના ૭૫૪૬ સંક્રમિતોની પુષ્ટી થઇ છે.જયારે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી પાટનગરમાં ગુરૂવારે સંક્રમણથી ૯૮ લોકોના મોત નિપજયા હતાં દિલ્હીમાં હજુ પોઝીટીવિટી રેટ ૧૨.૦૯ ટકા છે.જયારે ગત દિવસોમાં મૃત્યુ દર ૧.૪૬ ટકા નોંધાયો છે ગુરૂવારે દિલ્હીમાં ૬૬૮૫ લોકોને રજા આપવામાં આવી છે.

રાજધાનીમાં ગુરૂવારે ૬૨૪૩૭ કોરોના તપાસ કરવામાં આવી છે તેમાં ૨૨૦૬૭ આરટી પીસીઆર તપાસ અને ૪૦૩૭૦ રેપિડ એટીજન તપાસ સામેલ છે દિલ્હીમાં અત્યાર સુધી કુલ ૫૬,૫૩,૦૯૧ કોરોનાની તપાસ કરવામાં આવી છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ ૫,૧૦,૬૩૦ સંક્રમિતોની પુષ્ટી થઇ છે.જેમાંથી ૪,૫૯,૩૬૮ દર્દી સ્વસ્થ થઇ ચુકયા છે કોરોના વાયરસથી પાટનગરમાં અત્યાર સુધી કુલ ૮૦૪૧ દર્દીઓના મોત થઇ ચુકયા છે દિલ્હીમાં હાલ ૪૩૨૨૧ સક્રિય દર્દી છે.તેમાંથી ૨૫૩૬૭ દર્દી હોમ આઇસોલેશનમાં છે. પાટનગરમાં હજુ કુલ ૪૫૦૧ કંટેનમેંટ જાેન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.