Western Times News

Gujarati News

IPL આયોજનથી BCCIને ૪ હજાર કરોડ રૂપિયાનો ફાયદો

નવી દિલ્હી: કોવિડ-૧૯ મહામારીના ખતરા બાદ આઇપીએલ ૨૦૨૦ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ ૧૯ સપ્ટેબરથી ૧૦ નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહામાં રમાઇ. તાજા જાણકારી અનુસાર આ મેગા ટૂર્નાર્મેંટના આયોજનથી બીસીસીઆઇને જોરદાર ફાયદો થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ યૂએઇમાં આયોજિત આ ટૂર્નામેંટથી લગભગ ૪ હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

આ સાથે જ ટીવી દર્શકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આઇપીએલમાં ૧૮૦૦ લોકોના લગભગ ૨૦ હજાર આરટી-પીસીઆર કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા. જેથી તમામ ૬૦ મેચ વિના કોઇ પરેશાની આયોજિત થઇ શકી.

કોરોના વાયરસના લીધે દુબઇમાં સરકારે ૭ દિવસના કોરોન્ટાઇન બાદ ટ્રેનિંગની પરવાનગી આપી હતી. પરંતુ અબુધાબીમાં ૧૪ દિવસોના કોરોન્ટાઇન અનિવાર્ય હતું. આ વેન્યૂને મુંબઇ ઇન્ડીયન્સ અને કલકત્તા નાઇટરાઇડર્સના હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. બીસીસીઆઇએ અબુધાબી વહિવટીતંત્ર સાથે વાત કરી આ કોરોન્ટાઇન પીરિયડને ઓછો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.