Western Times News

Gujarati News

વાસણામાં બેકારીથી કંટાળી યુવાને જીવન ટુંકાવ્યુ

અમદાવાદ :વાસણા વિસ્તારમાં એક યુવાને બેકારીથી કંટાળીને પોતાની જીદગી ટકાવવાની ઘટના બની છે આ યુવાને ગઈકાલે ઘરે કોઈ ન હોઈ ગળેફાંસો ખાઈ લીધો હતો.

રાજેન્દ્ર જગદીશભાઈ શ્રીનગર સોસાયટી પ્રતાપકુંજ સોસાયટી પાછળ વાસણામાં રહેતો હતો અને મજુરી કામ કરી પોતાનું તથા પરીવારનું ગુજરાન ચલાવતો હતો જા કે છેલ્લા કેટલાંક સમયથી તેને કામ મળતુ નહતુ જેથી છત્રીસ વર્ષીય રાજેન્દ્ર ખૂબ જ પરેશાન રહેતો હતો દરમિયાન ગઈકાલે સાંજે ઘરે કોઈ હાજર નહોતુ એ સમયે હતાશ થઈ ગયેલાં રાજેન્દ્રએ જીવન ટુંકાવી તેવોના નિર્ણય કર્યો હતો.

આશરે છ વાગ્યાના સુમારે તે પોતાના ઘરે છતનાં હુકમમાં પ્લાસ્ટીકની દોરી વડે ગળેફાસો ખાઈ લીધો હતો આ અંગે પરીવારને જાણ થતાં તેમના માથે આભ તુટી પડ્યુ હતુ અને કુટુંબીજનો આપધાત લાગ્યો હતો જે જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરીવાર તથા પાડોશીઓનું નિવેદન લીધુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.