Western Times News

Gujarati News

પ્રણવ મુખર્જીના પુસ્તકમાં લખાયું મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ રાજનીતિક દિશામાં ભટકી ગઇ

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીએ પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે તેમના સર્વોચ્ચ ંબંધારણ પદ પર ચુંટાયા બાદ કોંગ્રેસ રાજનીતિક દિશાથી ભટકી ગઇ અને કેટલાક પાર્ટી સભ્યોનું માનવું હતું કે જાે ૨૦૦૪માં તે વડાપ્રધાન બન્યા હોત તો ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ માટે સખ્ત પરાજયની સ્થિતિ પેદા થઇ ન હોત.મુખર્જીએ પોતાના નિધન પહેલા સંસ્મરણ ધ પ્રેસિડેંશિયલ ઇયર્સ લખી ચુકયા છે. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી ૨૦૨૧થી પાઠકો માટે ઉપલબ્ધ હશે.

તેમને કોરોના વાયરસ સંક્રમણ બાદ થયેલ આરોગ્ય સંબંધી જટિલાઓના કારણે ગત ૩૧ જુલાઇના રોજ ૮૪ની વયે નિધન થયું હતું પુસ્તકમાં કોંગ્રેસના સંદર્ભમાં તેમની ટીપ્પણી તે સમયે સામે આવી રહી છે જયારે પાર્ટી આંતરિક ઉથલ પાથલન દૌરમાં પસાર થઇ રહી છે.આ પુસ્તકમાં મુખર્જીએ લખ્યું છે કે કેટલાક પાર્ટી સભ્યોનું એ માનવુ હતું કે જાે ૨૦૦૪માં તે વડાપ્રધાન બન્યા હોત તો ૨૦૧૪મં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ સખ્ત હારની સ્થિતિમાં આવત નહીં. તેમણે આગળ કહ્યું કે જાે કે આ મેતથી હું સંબંધ રાખતો નથી હું એ માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ પાર્ટી નેતૃત્વે રાજનીતિક દિશા ગુમાવી દીધી સોનિયા ગાંધી પાર્ટીના મામલાને સંભાળવામાં ્‌સમમર્થ હતાં તો મનમોહનસિંહની ગૃહથી લાંબી ગેરહાજરીથી સાંસદોની સાથે કોઇ પણ વ્યક્તિગત સંપર્ક પર વિરામ લગાવાયો.

પૂર્વ રાષ્ટ્‌પતિએ લખ્યું છે રે મારૂ માનવુ છે કે શાસન કરવાના કામકાજનું પ્રતિબિંબ હોય છે ડો. સિંહ ગઠબંધનન ે બચાવવામાં ધ્યાન મગ્ન રહ્યાં જેની શાસન પર અસર થઇ જયારે નરેન્દ્ર મોદી પોતાના પહેલા કાર્યકાળમાં શાસનની અધિનાયકવાદી શૈલીને અપનાવતા પ્રતિત થયા તો સરકાર કાયદા અને ન્યાયપાલકાની વચ્ચે કડક સંબંધ દ્વારા જાેવા ળી
આ પુસ્તકમાં પશ્ચિમ બંગાળના એક ગામમાં વિતાવવામાં આવેલ બાળપણથી લઇ રાષ્ટ્રપતિ રહેવા સુધી તેમના લાંબા સફર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે રૂપા પ્રકાશને જાહેરાત કરી છે મુખર્જી ના સંસ્કરણ ધ પ્રેસિંડેંશિયલ ઇયર્સને જાન્યુઆરી ૨૦૨૧માં વૈશ્વિક સ્તર પર જારી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.