Western Times News

Gujarati News

જાફરાબાદના દરિયામાંથી ૩૦૦ કિલોની માછલી મળી

જાફરાબાદ: જાફરાબાદના દરિયામાંથી ૩૦૦ કિલોની મહાકાય માછલી મળી છે જેથી આખા પંથકમાં કુતૂહલ સર્જાયું છે. જાફરાબાદના દરિયામાં રાજસાગર નામની બોટ લઈને માછીમાર રાજેશ હરજીભાઈ બારૈયા માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. ત્યારે ૩૦૦ કિલોગ્રામની વેખું નામની મહાકાય માછલી જાળમાં ફસાઈ ગઈ હતી. આ માછલી ઘણી જ કિંમતી હોવાથી તેને વેરાવળ મત્સ્યના કારખાનામા મોકલવામા આવી છે. જાફરાબાદ બંદરની બોટમાં મધદરિયે રાજસાગર નામની બોટમાં વેખુ નામની માછલી માછીમારી કરતા પકડાઇ છે.

અંદાજે ૩૦૦ કિલોગ્રામ વજન ધરાવતી વેખું નામની માછલીને વેરાવળ વેચાણ માટે મોકલવામાં આવી છે. માછીમાર રાજેશ હરજીભાઈ બારૈયાની બોટમાં વેખું નામની ૩૦૦ કિલોની માછલી મળતા બોટને જાફરાબાદ બંદર પર લવાઈ હતી. આ મહાકાય માછલીની કિંમત ખૂબ હોય છે. આ માછલીઓ જૂજ પ્રમાણમાં મળતી હોય છે.

થોડા સમય પહેલા જાફરાબાદ બંદરથી માછીમારી કરવા ગયેલા એક માછીમારને ૬૦ નોટિકલ્સ માઇલ દૂર દરિયામાંથી ૪૫૦ કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલીને બંદરે લાવી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ માછળીને જાેવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. માછીમારને આ માછલીમાંથી લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. ક્રેનની મદદથી માછલીને બહાર કાઢી તેને ફિશીંગ કંપનીના એક ટ્રકમાં ભરી વેરાવળ બંદરે લઇ જવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.