Western Times News

Gujarati News

ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં છ લોકોનાં મૃત્યુ

અંબાલા, દેશમાં માર્ગ અકસ્માતની વધી રહેલી ઘટનાઓ એક મોટી ચિંતાનું કારણ બન્યું છે. આ પ્રકારની ઘટનાથી સેંકડો નિર્દોષ જિંદગી ભોગ બની રહી છે. અંબાલામાં બપોરના સમયે બનેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે. ઓટોરિક્ષાને એક ટેન્કરે ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળ પર 5 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે એક મહિલાનું ચંડીગઢના PGI લઈ જતી વખતે માર્ગમાં મૃત્યુ થયું હતું. ટેન્કરનો ડ્રાઈવર આ ઘટના બાદ ભાગી ગયો હતો, પણ પોલીસે બાદમાં તેને પકડી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે, નારાયણગઢથી એક ઓટોરિક્ષા નજીકના ગામ જૌલી જઈ રહી હતી. એ સમયે સામેથી આવી રહેલા એક ટેન્કરે રિક્ષાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં ઓટોચાલક સહિત 5 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.

મૃત્યુ પામનાર લોકોમાં 81 વર્ષીય મેહરચંદ, 33 વર્ષીય ઓટો ચાલક સુનીલ, 60 વર્ષીય સલામતી, 62 વર્ષીય ગફરદીનનો સમાવેશ થયો હતો. અન્ય બે મહિલાની હજુ ઓળખ થઈ શકી નથી.

બીજી બાજુ, આ ઘટના બાદ ટેન્કરનો ડ્રાઈવર વાહન લઈ ભાગી છૂટ્યો હતો, પણ પોલીસે તેનો પીછો કરી પકડી લીધો હતો. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.