નર્મદાના શુદ્ધીકરણ અને પર્યાવરણના જતનની જન જાગૃતિ માટે નર્મદા પરિક્રમા યોજાય છે
 
        નર્મદામાં થતા પ્રદુષણ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા બાઈક દ્વારા નર્મદા જન જાગરણ યાત્રા કરવામાં આવી રહી છે.
અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળ મધ્યપ્રદેશના આગેવાનો ૧૨ યાત્રીઓ ઝઘડિયાના ગુમાનદેવ ખાતે આવી પહોંચ્યા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં, નગરોમાં,શહેરોમાં નર્મદાનું જળસ્તર વધારવા,રેતી ખનન અટકાવવા,નર્મદા કિનારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું,સરકારી કચેરીમાં વોટર હાર્ડવેસ્ટિંગ સિસ્ટમ લગાવવી વિગેરે બાબતે સ્થનિકો સાથે ચર્ચા કરી તેના અમલીકરણ માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવા જણાવાઈ રહ્યુ છે.
 મધ્યપ્રદેશના અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના સભ્યો નર્મદામાં થતા પ્રદુષણને અટકાવવા, નર્મદાની સંયોજક નદીઓનો પ્રવાહ વધારવા માટે જન જાગરણ યાત્રા લઈ નર્મદા પરિક્રમા માટે બાઈક લઈ નીકળ્યા છે.
મધ્યપ્રદેશના અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના સભ્યો નર્મદામાં થતા પ્રદુષણને અટકાવવા, નર્મદાની સંયોજક નદીઓનો પ્રવાહ વધારવા માટે જન જાગરણ યાત્રા લઈ નર્મદા પરિક્રમા માટે બાઈક લઈ નીકળ્યા છે.
સભ્યો દ્વારા પરિક્રમા દરમ્યાન માર્ગમાં આવતા ગામોમાં ગ્રામસભા,નગરોમાં, શહેરમાં લોકોને,વિદ્યાર્થીઓને નર્મદાનું આધ્યાત્મિક મહત્વ સમજાવે છે.નર્મદાનું જળસ્તર વધારવા, રેતી ખનન અટકાવવા,નર્મદા કિનારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા સમજાવે છે.
મધ્યપ્રદેશના અમરકંટક થી નીકળી મહારાષ્ટ્ર થઈ ગુજરાતના ખંભાતના અખાતમાં ભળતી નર્મદાએ કરોડો લોકોના જીવનની જીવનરેખા છે.વિશ્વમાં ફક્ત આ એક જ એવી નદી છે જેની હિન્દૂ ધર્મમાં તેની પરિક્રમાની પ્રણાલી છે.રોજના હજારો પરિક્રમા વાસીઓ નર્મદા કિનારાઓ પર પરિક્રમા કરે છે. મધ્યપ્રદેશના અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળ દ્વારા એક અનોખી પરિક્રમા કરવામાં આવી રહી છે. પરિક્રમા સાથે સાથે તેઓ પવિત્ર નર્મદાના પ્રવાહને જીવંત કેવી રીતે રાખી શકીએ,નર્મદામાં થતા પ્રદુષણને કેવી રીતે અટકાવી શકીએ તે બાબતે જાગૃતિનું કામ પણ કરવામાં આવે છે.
 નર્મદા ભક્તિ પંથ દ્વારા આયોજિત આ યાત્રામાં પંથના ૧૨ સભ્યો બાઈક લઇ આ બાબતે જન જાગરણ યાત્રા લઈ નીકળ્યા છે. અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના સભ્યો યાત્રા દરમ્યાન પરિક્રમા માર્ગમાં આવતા ગામો,નગરો, શહેરોમાં જઈ વિદ્યાર્થોને,ગ્રામજનો સાથે નર્મદા અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળની જન જાગરણ યાત્રા બાબતે ચર્ચા કરે છે.આ બાબતે યાત્રાના સંયોજક ઉપેન્દ્ર બાબા હોલકરે જણાવ્યું હતુંકે યાત્રાનો મુખ્ય હેતુ નર્મદાના ભવિષ્ય માટે છે.
નર્મદા ભક્તિ પંથ દ્વારા આયોજિત આ યાત્રામાં પંથના ૧૨ સભ્યો બાઈક લઇ આ બાબતે જન જાગરણ યાત્રા લઈ નીકળ્યા છે. અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળના સભ્યો યાત્રા દરમ્યાન પરિક્રમા માર્ગમાં આવતા ગામો,નગરો, શહેરોમાં જઈ વિદ્યાર્થોને,ગ્રામજનો સાથે નર્મદા અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળની જન જાગરણ યાત્રા બાબતે ચર્ચા કરે છે.આ બાબતે યાત્રાના સંયોજક ઉપેન્દ્ર બાબા હોલકરે જણાવ્યું હતુંકે યાત્રાનો મુખ્ય હેતુ નર્મદાના ભવિષ્ય માટે છે.
હાલમાં નદીમાં એટલી હદે પ્રદુષણ થઈ રહ્યુ છે જે તેના ભવિષ્ય માટે ખતરો છે.નર્મદામાં ભળતી સહાયક નદીઓના પ્રવાહને પણ જીવંત કેવી રીતે રાખી શકીએ તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનું છે.યાત્રા દરમિયાન લોકોને સમજાવી રહ્યા છે કે ગામોમાં નર્મદાનું જળસ્તર વધારવા શુ કરવું જોઈએ.સૌથી પહેલા મશીનો દ્વારા રેતી ખનન પ્રવુતિ અટકાવવી જોઈએ.રેતી ખનન થી નર્મદાના પ્રવાહ ને મોટું નુકસાન થઇ રહ્યું, નર્મદા કિનારે સરકાર દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, દરેક સરકારી કચેરીમાં વોટર હાર્ડવેસ્ટિંગ સિસ્ટમ લગાવવી જેથી જળ સ્તર ઉંચુ આવી શકે
આ ઉપરાંત નર્મદા કિનારે મોટાપાયે વૃક્ષા રોપણ કરવું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય માં નર્મદા ભક્ત મંડળ દ્વારા નર્મદા શુદ્ધિકરણ,જળ સંરક્ષણ,પર્યાવરણના જાગૃતિ માટે વર્ષ ૫૦,૦૦૦ જેટલી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે.જળ સંરક્ષણ માટે દરેક જીલ્લામાં કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવે છે.નર્મદા બચાવ માટે આયોજિત જન જાગરણ યાત્રામાં ૧૨ સભ્યો બાઈક દ્વારા તા.૧૫.૧૨.૨૦ ના દિને ઓમકારેશ્વર મધ્યપ્રદેશ થી નીકળ્યા છે.
યાત્રાના ૪ થા દિવસે તેઓ નર્મદા જીલ્લાના રાજપરા ખાતે રોકાયા હતા અને આજરોજ ઝધડિયા ના ગુમાનદેવ ખાતે આવી પહોંચ્યા હતા.આખી જન જાગરણ યાત્રા પૂર્ણ કરતા લગભગ ૩૦૦૦ થી વધુ કી.મી ની યાત્રા થશે અને આ યાત્રા પૂર્ણ કરતા તેમને ૨૦ થી ૨૨ દિવસ જેટલો સમય લાગશે.રામપુરા યાત્રીઓએ સવારે પ્રસ્થાન કરી ગુમાનદેવ, અંકલેશ્વર રામકુંડ,બલબલા કુંડ,કાંટીયાંઝાર થઈ મીઠી તલાઈ થી નવેઠા રાત્રી રોકાણ કરશે.

 
                 
                 
                