Western Times News

Gujarati News

વધુ ગ્રીન ટી પીવાથી ભૂખ ન લાગતી હોવાની ફરિયાદ

Files Photo

નવી દિલ્હી: મોટાભાગના લોકો એમ સમજે છે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક વધુ છે. તેને દરરોજ પીવાથી વજન ઘટાડી શકાય છે. ગત કેટલાક વર્ષોમાં ગ્રીન ટી પીવાનું ચલણ વધી ગયું છે. ગ્રીન ટી એક હર્બલ પીણું છે પરંતુ જાે તમે તે નક્કી માત્રાથી વધુ ગ્રીન ટી પીવો છો તો તેનાથી તમને નુકસાન પણ થઇ શકે છે.

વધુ ગ્રીન ટી પીવાથી તમને ઘણી બિમારીઓ થઇ શકે છે. જાણો જરૂરીયાતથી વધુ ગ્રીન ટી પીવાથી શુ-શું નુકસાન થઇ શકે છે. જાેકે કેફીન ગ્રીનમાં કોફીના મુકાબલે ઓછું હોય છે.

પરંતુ જાે તમે ગ્રીન ટી વધુ પીઓ છો તો આ તમને ગંભીર બિમારીઓનો શિકાર બની શકે છે. વધુ ગ્રીન ટી પીવાથી તમને પેટની બિમારી, ઉલટી, અનિદ્રા, જાડા જેવી બિમારીઓ થઇ શકે છે. ગ્રીન ટી વધુ પીવાથી શરીરમાં આયરનની ઉણપ થઇ જાય છે. આમ એટલા માટે થાય છે કારણ કેમાં ટૈનિન ઉપલબ્ધ હોય છે જે ખાવાથી શરીરને મળેલા પોષક તત્વોથી આયરનના અવશોષણમાં અડચણ નાખે છે. ગ્રીન ટી વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના લીધે ઓછું જમો છો અને નબળાઇનો શિકાર થઇ જાવ છો.

ત્યારબાદ ઘણા પ્રકારની બિમારીઓ તમને થઇ શકે છે. ગ્રીન ટીનું વધુ સેવન ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન પહોંચાડે છે. જાે કોઇ ગર્ભવતી મહિલા ગ્રીન ટી વધુ પીઓ છો તો ગર્ભપાતનો ખતરો રહે છે. એક દિવસમાં ૨ કપથી વધુ ગ્રીન ટી પીવી હાનિકારક થઇ શકે છે. ગ્રીન ટીમાં ઓક્સૈલિક એસિડ હાજર હોય છે. ઓક્સૈલિક એસિડના કારણે કિડનીમાં પથરી બની શકે છે. જાેકે ઓક્સૈલિક એસિડમાં યૂરિક એસિડ, કેલ્શિયમ અને અમીનો એસિડ જાેવા મળે છે, જે પથરી બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.