Western Times News

Gujarati News

31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવા શરુ કરવાનો નિર્ણય લો : સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

નવી દિલ્હી, કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ હતી. ત્યારે દસ મહિના સમય બાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરુઆત થઇ છે. જો કે દેશભરની આંગણવાડીઓ હજુ પણ બંધ જ છે.

ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. સુપરીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં અટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવાઓ શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવે. જે વિસ્તાર કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે તેમને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

દસ મહિનાથી બંધ આંગણવાડીને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીઓને ફરીથી શરુ કરવાની વાત કરવામાં આવી હતી. અરજીની અંદર કોરોનાના કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાળકો અને માતાઓને પોષણક્ષમ આહાર મળવામાં મુશ્કેલી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આંગણવાડીના માધ્યમથી શૂન્યથી છ વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સૂકુ રાશન આપવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનવણીમાં તમામ રાજ્ય સરકારોને નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.