Western Times News

Gujarati News

યે રિશ્તામાં જાેરદાર અંદાજમાં શિવાંગી જાેશીનું કમબેક થશે

મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી પડદા પરની સુપરહિટ સીરિયલમાંથી એક છે. હાલના દિવસોમાં નાયરા એટલે કે શિવાંગી જાેશી સીરિયલ છોડવાને લઈને ખૂબ ચર્ચામાં છે. કહાનીમાં તેના મોતથી નાયરાના પાત્રનું મોત થઈ ગયું છે. આ બાદથી શિવાંગી જાેશીના શો છોડવાની ચર્ચા છે.

જાેકે હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈના ફેન્સ માટે ખુશખબરી છે કે શિવાંગી જાેશી સીરિયલમાં કમબેક કરી રહી છે. જી હાં, નાયરાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ શિવાંગી જાેશીના શોથી બહાર થવાની ખબર આવી હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે તે બહાર નથી થઈ.

પરંતુ ‘નાયરા’નું પાત્ર ખતમ કરવામાં આવ્યું છે. શિવાંગી જાેશીએ જાતે જાહેરાત કરી હતી કે તેના પાત્ર નાયરાનુ શોમાં જલ્દી મોત થઈ જશે. આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે શિવાંગી જાેશી શો છોડશે નહીં. કારણ કે શિવાંગી હવે યે રિશ્તા ક્યા કહલાતા હૈના નવા પ્રોમોમાં નજર આવી રહી છે. મેકર્સને શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેને જાેઈને માલુમ પડી જશે કે શિવાંગી જાેશી હવે નવા અંદાજમાં જાેવા મળશે.

આ નવા પ્રોમોમાં શિવાંગી બોક્સિંગ રિંગમાં મુક્કેબાજી કરતા દેખાઈ રહી છે. જ્યારે કાર્તિક દોડીને તેને મળા માટે જતા દેખાય છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના પ્રોમોમાં શિવાંગી બોક્સર અવતારમાં દેખાઈ રહી છે. આ પ્રોમોથી સ્પષ્ટ છે કે ‘નાયરા’ અને કાર્તિકનો સાથ હવે ખતમ નહીં થાય, પરંતુ નવા અંદાજમાં તેમની જાેડી આગળ વધશે. જાેકે શોમાં તેનું પાત્ર અને નામ શું હશે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ શિવાંગી જાેશીના ફેન્સ માટે આ ખરેખર એક ખુશખબરી છે તોઓ તેને ફરીથી યે રિશ્તા સીરિયલમાં જાેઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.