Western Times News

Gujarati News

સુરતમાં નિષ્ઠુર માતા બે માસનું બાળક ત્યજી ફરાર

પ્રતિકાત્મક

સુરત, અમરોલી બ્રીજ પર એક નિષ્ઠુર માતાએ પોતાના બે મહિનાના બાળકને ત્યજી દીધું હતું. અને અમરોલી બ્રીજ ઉપર તરછોડીને ફરાર થઇ ગઈ હતી. જાે કે ત્યાંથી પસાર થતા ડિલિવરી બોયનું ધ્યાન જતા તેણે તાત્કાલિક નજીકના પોલીસ મથક સાથે ૧૦૮ને જાણ કતી જાે કે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતના અમરોલી બ્રિજ પરથી બપોરના સમયે એક બાળકની લાશ મળી આવી હતી. આશરે બે મહિનાના બાળકની લાશ મળી આવતા આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

હાલ પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને બાળક કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું તેમજ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને બાળક કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું તેમજ તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ડિલિવરી બોયેએ જણાવ્યું હતું કે,આજે સવારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક બાળક પાણીના પાઇપ પાછળ દેખાયું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.