Western Times News

Gujarati News

નિધિ તિવારી બન્યાં PM નરેન્દ્ર મોદીના અંગત સચિવ

(એજન્સી)નવી દિલ્હી, નિધિ તિવારીની નિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે થઈ છે. મૂળ વારાસણીનાં આ અધિકારીની આ બઢતી અંગે પર્સોનલ અને તાલીમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

નિધિ તિવારી ૨૦૧૪ની બેચના વિદેશ સેવા અધિકારી છે. જોકે તેઓ વડાપ્રધાન કચેરી (પીએમઓ)માં નાયબ સચિવ તરીકે કામ કરી ચૂક્્યાં છે. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય ૨૯ માર્ચે લેવામાં આવ્યો હતો.

પર્સોનલ વિભાગની આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આઈએફએસ અધિકારી નિધિ તિવારી, જેઓ વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે કાર્યરત છે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકેની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે.

નિધિ તિવારીને ૨૦૨૨માં પીએમઓમાં નાયબ સચિવ બનાવવામાં આવ્યાં હતાં. એ પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો માટે ફરજ બજાવી ચૂક્્યાં છે. અંગત સચિવના સ્વરૂપે નિધિ તિવારીની કામગીરી ઘણી વિશિષ્ટ રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.