ચીન સાથે સરહદી વિવાદ ઉકેલવા માટે ત્રીજા પક્ષની જરૂર નથીઃ ભારત

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનો દુનિયાનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદની મધ્યસ્થી કરવાની ઓફર પણ આપી છે.
જોકે, ટ્રમ્પની આ ઓફરને ભારતે ફગાવી દીધી છે. ભારતે આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી કોઈ પ્રકારનો ભ્રમ પેદા થાય નહીં.ભારતે સીધા શબ્દોમાં કહ્યું કે સરહદ વિવાદ દ્વિપક્ષીય મામલો છે અને અમે તમામ ચીજોને અમારા સ્તર પર ઉકેલીશું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મીડિયાને સંબોધિત કરતી ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું ભારત તરફ જોવું છું. કેટલાક વિવાદ છે, જે સામાન્ય છે.
તેના પર વાત થવી જોઈએ અને પહેલ પણ કરવી જોઈએ. જો અમે કોઇ મદદ કરી શકીએ છીએ તો મને સારું લાગશે. હું(અમેરિકા) આ માટે તૈયાર છું, કારણ કે મારું માનવું છું કે વિવાદોનો ઉકેલ આવવો જોઈએ.’
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘અમારા પડોશીઓ સાથે જે પણ વિવાદ છે, એને ઉકેલવા માટે અમે હંમેશાથી દ્વિપક્ષીય વાતચીતનો રસ્તો અપનાવ્યો છે. આ વિવાદો ઉકેલવામાં અમારે(ભારત) કોઈ પણ તૃતીય પક્ષની જરુરિયાત નથી.’ આ સાથે ટ્રમ્પે ચીનની સાથે અમેરિકાના સારા સંબધોની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ‘‘અમેરિકા તો ચીનની સાથે પણ સારા સંબંધોની તરફેણમાં છે.
ચીન દુનિયાનો એક મહત્વપૂર્ણ પ્લેયર છે. અમે ચીન સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. કોરોના કાળ સુધી ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે સારા સંબંધ હતા. તેમ છતાં થોડા સંબંધો બગડ્યા હતા.’’SS1MS