Western Times News

Gujarati News

Search Results for: સૌરાષ્ટ્ર કચ્છ

અમદાવાદ,  અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા વધુ તીવ્ર બની ગયું છે. પરિણામ સ્વરુપે ગુજરાતના દરિયાકાંઠે પ્રચંડ...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...

રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિઃ રાજયના ૧૦૯ જળાશયો હાઈએલર્ટ પરઃ હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ)...

રાજ્યમાં થયેલા વ્યાપક અને સાર્વત્રિક વરસાદને પરિણામે ૨૦૪ જળાશયોમાં ૬૮ ટકા એટલે કે ૩,૮૦,૦૮૯ એમસીએફટી જળસંગ્રહ થયો છે. તારીખ ૧૨...

સરદાર સરોવર ડેમ ૧૩૧ મીટરે ભરીને  ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય પૂરવાર કર્યુ છે-  નેવાના પાણી મોભે ચડાવ્યા:- મુખ્યમંત્રી રાજ્યમાં સાર્વત્રીક...

  રાજકોટમાં ભારે વરસાદ-રસ્તાઓ ઉપર ઠેર ઠેર ૩થી ૪ ફૂટ પાણીઃ શાળાઓમાં ગયેલા વિદ્યાર્થીઓ ફસાયાઃ રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની...

ખેડૂતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કર આયોજન ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬...

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે (પ્રતિનિધિ દ્વારા)...

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભું થયેલું જળ સંકટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુન મહિનામાં ગુજરાતના દક્ષિણભાગમાં, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મેઘરાજાએ કરેલ...

સ્પેશિયાલિટી ખાતરો માટે વૈશ્વિકસ્તરે પ્રખ્યાત અને મુંબઈમાં મુખ્યાલય ધરાવતી સલ્ફર મિલ્સ લિમિટેડે તેનું નવું પેટન્ટેડ ઝિંક આધારિત ખાતર ટેક્નો ઝેડ...

* સરકાર વીજળીની ડ્યૂટી અને સ્ટેમ્પ ડ્યુટી વધારવાની દરખાસ્ત  * નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને દાંડી માર્ચ ટુરિઝમ સર્કિટમાં માળખાગત...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સમગ્ર દિવસ દરમ્યાન વાદળઘેરા વાતાવરણમાં નગરજનોએ ભારે બફારો અનુભવતા ત્રાહિમામ પોકારી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર...

સુરત,વડોદરા, રાજકોટ, આણંદ, ડાકોર સિધ્ધપુર, ચાણસ્મા, તથા સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાના આગમન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.