Western Times News

Gujarati News

પૈતપુર ગામ વર્ષમાં આઠ મહિના વેરાન બની જાય છે

નવી દિલ્હી, અલવરઃ કમાવા માટે ઘરની બહાર નીકળવું એ કોઈ નવી વાત નથી, પરંતુ આખું ગામ ખાલી થઈ જાય તે સાંભળીને થોડું વિચિત્ર લાગે છે. અલવર શહેરથી લગભગ ૨૫ કિમી દૂર પૈતપુર ગામમાં ઘરો પર તાળા લટકેલા જાેવા મળે છે.

આ ગામમાં નાટ જ્ઞાતિના લોકો રહે છે. ગામમાં ૪૫૦ જેટલા ઘરો છે અને મોટા ભાગના ઘરોમાં તાળાઓ જાેવા મળે છે. અહીંના ગ્રામીણો પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા પંજાબ જાય છે.

આ લોકો હિન્દી કેલેન્ડર મુજબ ભાદ્રપદમાં બહાર જાય છે અને વૈશાખમાં પોતાના ઘરે પરત ફરે છે. ગામના વડીલ ઓમીએ જણાવ્યું કે, સામાન્ય રીતે અહીંના ઘરો આઠ મહિનાથી બંધ રહે છે અને ગામ સાવ ર્નિજન રહે છે. જાેકે, બાકીના ચાર મહિના અહીં લોકોના આવવાના કારણે મેળા જેવો માહોલ જાેવા મળે છે.

અલવર શહેરના સિલિસેધની પાછળ આવેલું પૈતપુર ગામ ૨૫૦ વર્ષથી વધુ જૂનું છે. સાથે જ આસપાસના લોકોએ જણાવ્યું કે, આ ગામ ઘણા વર્ષો પહેલા મુસ્લિમોનો ગઢ હતું, પરંતુ હવે અહીં નાટ જનજાતિ રહે છે. તેથી જ તેને નાટોનું ગામ પણ કહેવામાં આવે છે.

ગ્રામીણ ઓમીએ જણાવ્યું કે, આ ગામ ૧૯૨૭થી પૈતપુર તરીકે ઓળખાય છે. આ પહેલા અહીં મુસ્લિમોનું રહેઠાણ હતું. જે બાગપત શહેર તરીકે જાણીતું હતું. જ્યાં આજે પણ તેમની કબર પહાડો પર બનેલી જાેવા મળે છે.

ઓમીએ જણાવ્યું કે, અહીંના લોકો લગભગ ૮ મહિના માટે રાજસ્થાનની બહાર જાય છે અને તેમના ઘરનો ખર્ચ ચલાવવા માટે મજૂરી સહિત અન્ય કામ કરે છે. તે લગભગ ૩-૪ મહિના માટે અલવર આવે છે. એ પણ જણાવ્યું કે, અહીં ઘણા લોકોની જમીન અને ખેતરો છે.

આદિજાતિના લોકોએ રાજસ્થાનની બહાર પણ ઘર બનાવ્યા છે અને તેમના બાળકોનું શિક્ષણ પણ ત્યાં ચાલે છે. જાેકે, પૈતપુર ગામમાં આવ્યા પછી જ લગ્ન કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.