Western Times News

Gujarati News

પાકિસ્તાની એમ્બેસીના સ્ટાફે ભારતીય મહિલાની છેડતી કરી

નવી દિલ્હી, નવી દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે દૂતાવાસમાં ઘરેલુ સહાયક તરીકે કામ કરતી ભારતીય મહિલા સાથે છેડતીની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પાકિસ્તાન દૂતાવાસના પ્રભારી સાદ અહેમદ વારૈચના કર્મચારીને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

૫૪ વર્ષીય પાકિસ્તાની નાગરિક મિન્હાજ હુસૈન વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેઓ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ઈન્ચાર્જ સાદ અહેમદ વારૈચના સત્તાવાર નિવાસસ્થાને રસોઈયા તરીકે કામ કરતા હતા. તેણે એક ભારતીય મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કર્યાે હતો.

આ ગરીબ મહિલા સાદ અહેમદના ઘરે ઘરેલુ સહાયક તરીકે નોકરી કરતી હતી અને નવી દિલ્હીના તિલક માર્ગ ખાતેના વરાચના સત્તાવાર નિવાસસ્થાનના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી હતી.સમાચાર અનુસાર, નોકર ક્વાર્ટરમાં રહેતો મિન્હાજ હુસૈન આ વર્ષે ફેબ્›આરીમાં ભારત આવ્યો ત્યારથી તેની સાથે ગેરવર્તન કરતો હતો અને સતત શારીરિક સંબંધની માંગ કરતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો.

મિન્હાજે મહિલાની છેડતી કર્યા બાદ મહિલાએ તેની ફરિયાદ સાદ અહેમદને કરી હતી, પરંતુ તેણે ચૂપચાપ મિન્હાજ હુસૈનને બકરીદના બહાને પાકિસ્તાન મોકલી દીધો હતો. આ પછી પાકિસ્તાન હાઈ કમિશને મહિલાને બોલાવી અને ૩૦ જૂન સુધીમાં સાદ અહમદની નોકરી અને ઘર છોડવા કહ્યું.

વિધવા મહિલાને તેના બાળકો માટે કામ કરવું પડતું હતું, પરંતુ તેણીને મળેલા અમાનવીય વર્તનથી તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. જ્યારે મિન્હાજ પાકિસ્તાનથી પાછો આવ્યો અને ફરી વારૈચના ઘરે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને વધુ ખરાબ લાગ્યું.આ પછી, તે ૨૮ જૂને તિલક માર્ગ પોલીસ સ્ટેશન ગઈ અને મિન્હાજ હુસૈનના અભદ્ર વર્તન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે દિલ્હી પોલીસે તરત જ મિન્હાજ અહેમદ હુસૈન વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ એફઆઈઆર નોંધી હતી.મિન્હાજ હુસૈન સત્તાવાર પાસપોર્ટ અને વિઝા પર ભારતમાં રહેતો હતો. સમસ્યા વધતી જોઈને મિન્હાજ હુસૈનને ૩૦ જૂને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ પાકિસ્તાન હાઈ કમિશન અને સાદ અહેમદ વારૈચને શરમમાં મૂકી દીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.