ગુજરાતના અમદાવાદ જિલ્લામાં રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ

Ahmedabad, દેશના રેલ માળખાના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહલ તરીકે અનેક મોટી રેલ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યું છે – જેમાં ગુજરાત આ પરિવર્તનશીલ યાત્રાના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી રહ્યું છે.
સારી કનેક્ટિવિટી અને અપગ્રેડ કરવામાં આવેલ સ્ટેશનોથી લઈને નવી લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા પ્રાદેશિક વિકાસ, મુસાફરોની સુવિધા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
The Veraval (Somnath) to Sabarmati (Ahmedabad) Vande Bharat Express stands adorned with flowers, ready for its inaugural run from Veraval Station.
જયારે ગુજરાત ભારતના પરિવહન નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર સ્વરૂપે પોતાનું સ્થાન મજબૂત કરવાનું ચાલુ રાખે છે, માટે આ પ્રોજેક્ટ્સ પ્રદેશ અને તેનાથી આગળ મુસાફરી અને વ્યવસાયની ગતિશીલતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ ગુજરાતના દાહોદથી અનેક રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત/ઉદ્ધઘાટન કરવાના છે અને સાથે જ ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રારંભ પણ કરશે.
• સાબરમતી-બોટાદ વિભાગના વીજળીકરણનું સમર્પણ અને ગુજરાત રાજ્યમાં રેલ નેટવર્કના 100% વીજળીકરણનું સમર્પણ.
106 કિલોમીટર લાંબી તથા 333 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી-બોટાદ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ અમદાવાદ અને બોટાદ જિલ્લાઓને કવર કરે છે.
આ પરિયોજના ગુજરાતમાં રેલ નેટવર્કનું 100% વીજળીકરણ પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. આ પહેલ બોટાદ, ભાવનગર અને ગુજરાત પ્રદેશના રહેવાસીઓને પર્યાવરણને અનુકૂળ, કાર્યક્ષમ અને ઝડપી બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. તે ભાવનગર માટે એક વૈકલ્પિક માર્ગ પણ પૂરો પાડે છે અને અમદાવાદ અને આસપાસના વિસ્તારો સુધી પહોંચમાં સરળ બનાવે છે. વધુમાં, સંપૂર્ણ વીજળીકરણ અશ્મિભૂત ઈંધણની આયાત પરની નિર્ભરતા ઘટાડે છે, જે પર્યાવરણીય ટકાઉપણું અને ઊર્જા કાર્યક્ષમતાના વ્યાપક લક્ષ્યો સાથે સુસંગત છે.
• અમદાવાદ (સાબરમતી) થી સોમનાથ (વેરાવળ) વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રારંભ
અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.
સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળ થી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.
આધુનિક, કાર્યક્ષમ અને સમાવિષ્ટ રેલ નેટવર્કના વિઝન સાથે જોડાઈને આ પરિયોજના અસરકારક નીતિ અમલીકરણ અને વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવે છે. ગુજરાતની રેલવે પ્રગતિ એ સમગ્ર ભારતમાં સંકલિત પ્રાદેશિક વિકાસ માટે એક બ્લુપ્રિન્ટ છે.