Western Times News

Gujarati News

કચ્છ સાથે તો મારો જૂનો સંબંધ છે: ભુજની સભામાં બોલ્યા મોદી

ભુજમાં ૫૩ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન

(એજન્સી)કચ્છ, વડાપ્રધાન મોદી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ભુજમાં તેમનો રોડ શો યોજાયો. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. આ સાથે જ ભુજમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો બાદ તેમની જનસભા યોજાઈ હતી. આ સભામાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જેમાં પીએમ મોદીએ તેમના સંબોધનમાં મોટી વાત કહી હતી. આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ આજે ભુજમાં ૫૩ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કહ્યું કે કચ્છ સાથે મારો જૂનો સંબંધ છે. ઉપરાંત તેમણે કહ્યું કે કચ્છમાં પાણી ન હતું તે મેં જોયું છે. પરંતુ અહીંયાના ખેડૂતો ઘણા પાણીદાર છે. જે ભૂમિ પર હજારો વર્ષો પહેલા ધોળાવીરા થયું હોય તે ભૂમિમાં જરૂર કોઈ તાકાત છે. કચ્છએ લોકોને જણાવ્યું છે કે આપત્તિને અવસરમાં બદલી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અહીંયા ભૂકંપ આવ્યો ત્યારે લોકોને લાગ્યું કે હવે અહીંયા કશું નહીં થઈ શકે.

ભૂકંપને લઈને પીએમ મોદીએ કહ્યું મને વિશ્વાસ હતો કે કચ્છ આ ફરી ઊભું થશે. અને એવું જ થયું આજે કચ્છ વેપાર અને કારોબારનું મોટું સેન્ટર છે. જે હવે કચ્છને વિકાસની ગતિ આપું છે. ત્યારે મને લાગે છે કે હજુ અહીંયા કંઈ કરી શકીશ.

આ સાથે જ તેમણે કહ્યું આજે અહીંયા ૫૦ હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે પણ એક સમય એવો હતો કે આખા ગુજરાતમાં પણ ૫૦ હજારના વિકાસના કામો નહોતા થતા. પરંતુ આજે તો માત્ર કચ્છમાં જ ૫૦ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ થશે.

ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે આપણું કચ્છ ગ્રીન હાઇડ્રોજનનું હબ બની રહ્યું છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટ લાઈટ બધું ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. કંડલા દેશના ૩ ગ્રીન હાઇડ્રોજન પૈકીનું એક છે. સાથે જ તેમણે કહ્યું કે કચ્છ સોલાર ક્રાંતિમાં પણ આગળ છે. દુનિયાના સૌથી મોટા સોલર પ્રોજેક્ટો પૈકી એક કચ્છમાં છે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે એક સમયે એવો હતો કે કચ્છ એટલે શું? આ તો રણ છે.

પણ એ સમયે હું કહેતો હતો કે આ કચ્છ અમારા ગુજરાતનું તોરણ છે. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારનો પ્રયાસ છે કે તમને પર્યાપ્ત વીજળી મળે અને વીજળીનું બિલ શૂન્ય આવે. પીએમ સૂર્ય ઘર યોજનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું ઘણા લોકોએ અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે પાકિસ્તાનને પણ ઈર્ષા થાય તેવું કચ્છ બનાવ્યું છે.

ઓપરેશન સિંદૂરને લઈને તેમણે કહ્યું, “અમારી નીતિ ઝીરો ટોલરન્સની નીતિ છે. જોકે જે પણ ભારતીયોનું લોહી કાઢશે તેને તેની જ ભાષામાં જવાબ અપાશે. ભારત પર આંખ ઉઠાવવા વાળા કોઈ કિંમતમાં બક્ષવામાં આવે. ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે. ૨૨ મે પછી મે ક્્યારેય કંઈ છુપાવ્યું નથી. બિહારની જનસભામાં મે જાહેર કરી હતી કે આતંકવાદને માટીમાં મેળવી દીધી.

૧૫ દિવસ સુધી રાહ જોઈ કે પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ પગલું લેશે પરંતુ આતંકવાદ જ તેમની રોજીરોટી છે. જ્યારે તેમણે કશું ન કર્યું ત્યારે મે દેશની સેનાને છૂટ આપી દીધી.”

આ સિવાય તેમણે કહ્યું કે ભારતના ટાર્ગેટ પર આતંકવાદીઓના ઠેકાણા હતા. જેમાં પર સટીક વાર કરવામાં આવ્યો હતો. આપણી સેના કેવી રીતે કામ કરે છે તે લોકોએ જોયું. દુનિયાને અમે બતાવ્યું કે આતંકવાદના અડ્ડાઓને ઘરમાં બેઠા બેઠા માટીમાં ભેળવી શકે છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન કેવી રીતે ઉચુંનીચું થયું તે આપણે જોયું. ૯ તારીખે કચ્છમાં પણ ડ્રોન મોકલ્યા હતા.

પરંતુ તેઓ ૧૯૭૧ને ભૂલી ગયા કે જ્યારે મહિલાઓએ રોડ સરખો કર્યો અને સેનાએ ફરીથી તેમના પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની લડાઈ સીમા પાર આતંકવાદ સાથે છે. પાકિસ્તાનના લોકોને પણ હું કહેવા માગીશ કે શું મેળવ્યું તમે? ભારત આજે વિશ્વની ચોથી અર્થ વ્યવસ્થા છે અને તમે શું મેળવ્યું? ત્યાંની સેનાનો પોતાનો અલગ એજન્ડા છે. પાકિસ્તાનના લોકોને મોદીએ કહ્યું કે તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.