PM મોદીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ભાગલપુરથી ધરપકડ થઈ

AI Image
(એજન્સી)નવી દિલ્હી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ્સએપ મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની ભાગલપુરના સુલતાનગંજથી ધરપકડ કરવામાં આવી છે.
ગુરુવારે સાંજે ધરપકડ કરાયેલો યુવક સમીર રંજન છે, જે સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશી ગામના કુમાર શરદ રંજનનો ૩૫ વર્ષીય પુત્ર છે.ગુપ્તચર અધિકારીઓ પાસેથી માહિતી મળતાં, ભાગલપુરના એસએસપી હૃદય કાંતે તાત્કાલિક ડીએસપી ચંદ્રભૂષણ, ઇન્સ્પેક્ટર સુલતાનગંજ મૃત્યુંજય કુમાર અને ટેકનિકલ સેલના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રણજીત કુમારને તૈનાત કર્યા.
ચાર કલાકની મહેનત પછી, ધમકી આપનાર વ્યક્તિ સમીરની ધરપકડ કરવામાં આવી. જ્યારે જીજીઁ એ સમીર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલ નંબર ટેકનિકલ સેલ દ્વારા ચકાસ્યો, ત્યારે તે ૭૧ વર્ષીય મન્ટુ ચૌધરીના નામે હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ ટેકનિકલ સેલ આખરે થોડી પૂછપરછ કર્યા પછી સમીર રંજન પાસે પહોંચી. ધરપકડ થાય ત્યાં સુધી એસએસપી પોતે દેખરેખ રાખતા રહ્યા.