15-17 જુન દરમ્યાન કેનેડામાં યોજાનારી G7 સમિટમાં PM મોદી ભાગ લેશે નહિં

File
શું ૬ વર્ષની પરંપરા તૂટશે? પીએમ મોદી G-7 સમિટમાં ભાગ લેવા કેનેડા જશે નહી-આ સમિટ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણભૂત
નવી દિલ્હી, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં યોજાઈ રહેલા G-૭ સમિટમાં ભાગ લેશે નહીં. આ સમિટ ૧૫-૧૭ જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટામાં યોજાઈ રહી છે, જેમાં પીએમ મોદીની હાજરીની શક્યતા નહિવત છે. છ વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે પીએમ મોદી G-૭ સમિટમાં ભાગ લેશે નહીં. સમિટમાં ભાગ ન લેવા પાછળ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષા ચિંતાઓને કારણભૂત ગણાવવામાં આવી રહી છે. PM Narendra Modi will not attend the G7 summit.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં પીએમ મોદી સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવાના કોઈ સંકેત નથી. ન તો કેનેડાએ G-૭માં પીએમ મોદીની ભાગીદારી માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે અને ન તો ભારત આ વખતે સમિટમાં હાજરી આપવાની ઇચ્છા બતાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત-કેનેડા તણાવને ધ્યાનમાં રાખીને, બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવા સુધી ભારત તરફથી આવી હાઇ-પ્રોફાઇલ મુલાકાત શક્ય નથી. સૂત્રો કહે છે કે આ G-૭નો મામલો નથી પરંતુ ભારતે તેના યજમાન દેશને ધ્યાનમાં રાખીને આવું પગલું ભર્યું છે.
બે વર્ષ પહેલાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે બંને દેશો વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પણ પાછા બોલાવી લીધા હતા અને અત્યાર સુધી નવા હાઈ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી. સૂત્રો કહે છે કે આ G-૭નો મામલો નથી પરંતુ ભારતે તેના યજમાન દેશને ધ્યાનમાં રાખીને આવું પગલું ભર્યું છે.
બે વર્ષ પહેલાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે બંને દેશો વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ ભારતે પણ કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પાછા બોલાવી લીધા હતા અને અત્યાર સુધી નવા હાઈ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી.
G-૭ એ વિશ્વના સાત વિકસિત અર્થતંત્રો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનું સંગઠન છે, જેના વાર્ષિક સમિટમાં વિશ્વના અન્ય પ્રભાવશાળી દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી ૨૦૧૯ થી આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
કેનેડાએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી કે કયા દેશના નેતાઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે, પરંતુ કેનેડિયન મીડિયા કહે છે કે સભ્ય દેશોના નેતાઓ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને બ્રાઝિલના નેતાઓ પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે છે.
સપ્ટેમ્બર ૨૦૨૩ માં ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા જ્યારે કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારતે આ આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડાએ આ સંદર્ભમાં તપાસની માંગ કરી હતી અને આ તપાસમાં અત્યાર સુધી કંઈ બહાર આવ્યું નથી, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો ચોક્કસપણે બગડ્યા છે.
હવે કેનેડામાં સરકાર બદલાઈ ગઈ છે. દેશના નવા વડાપ્રધાન માર્ક કાર્નેએ ભારત સાથે સંબંધો સુધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. જોકે, અત્યાર સુધી ભારત-કેનેડા સંબંધોમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. (રર.૧૯)