Western Times News

Gujarati News

મામાના ઘરે રહેતા પુત્રનું પોલીસ પિતાએ ખંભાળીયાથી અપહરણ કર્યું: 7ની ધરકપડ

બાળકને ઉઠાવવાના કેસમાં સાણંદના ગોધાવીનો પોલીસકર્મી સકંજામાં

ખંભાળીયા, ખંભાળીયામાં મામાના ઘરે રહેતા સાત વર્ષીય એક બાળકનું તેના જ પીતા એવા અમદાવાદના પોલીસકર્મી શખ્સ દ્વરા મોટરકારમાં અપહરણ થયાના કેસમાં દ્વારકા જીલ્લા પોલીસ તાકીદની કાર્યવાહી કરી બાળકના પિતા સહીત કુલ સાત શખ્સને દબોચી લીધા હતા.

ખંભાળીયામાં બંગલા વાડી, શેરી નંબર ૩ ખાતે રહેતા અને મામલતદાર કચેરીમાં નોકરી કરતા જયદીપસિંહ કનકસિંહ પરમાર ઉ.વ.ર૮ ના બહેન શીતલબાના લગ્ન વર્ષ ર૦૧૭માં અમદાવાદ જીલ્લાના ઓઢવ ખાતે રહેતા જયદતસિંહ સતુભા વાઘેલા સાથે થયા હતા. હાલ અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામના પોલીસકર્મી જયદતસિંહ સતુભા વાઘેલા અમદાવાદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહયા છે.

પોલીસકર્મી જયદતસિંહ દ્વારા પોતાના પત્ની શીતલબાને લગ્નજીવન દરમ્યાન ત્રાસ આપવામાં આવતાં તેણે ખંભાળીયા ખાતે પોતાના પિતાના ઘરે રીસામણે આવી ગયા હતા. જે દરમ્યાન તેઓ સગર્ભા હોય, તેણીએ તા.૧૯ જુન ર૦૧૮ના રોજ પુત્રને જન્મ આપ્યો હત. હાલ સાત વર્ષીય બાળક ખંભાળીયા ખાતે તેમના માતા અને મામા સાથે જયદીપસિંહ સાથે રહે છે.

આ સમગગાળા દરમ્યાન બાળકના પિતા જયદતસિંહ કયારેય તેમના પુત્ર કે પત્નીને મળવા આવ્યા ન હતા. આ બાબતથી વ્યથિત શીતલબાએ તા.૧૪ જાન્યુઆરી ર૦ર૪ના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને બાળકતેના મામાના ઘરે રહી અને અહીની એઅક શાળામાં એલ.કે.જી.માં અભ્યાસ કરી રહયો છે.

ગત રવીવારે તારીખ ર૯મીના રોજ સાંજે આ બાળક તેના મામા જયદીપસિંહ સાથે નાસ્તો લઈને મોટર સાયકલ પર તેમના ઘરે જઈ રહયા હતા. ત્યારે રાત્રીના આશરે પોણા નવ વાગ્યાના સમયે તેમના ઘર નજીક પહોચતા એક કાર આવી હતી. જેમાંથી તેમના બનેવી જયદતસિહે ઉતરીને પોતાના પુત્રને લઈને જતા રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.