પ્રભાસે ફેન્સને કહ્યું, હું તિરુપતિમાં જ લગ્ન કરીશ

મુંબઈ, લાખો લોકોની ભીડ, ભગવા ઝંડા, જય શ્રી રામના નારા સાથે મંગળવારે તિરુપતિમાં કંઇક અનોખો નજારો જાેવા મળ્યો. ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’નું ફાઇનલ ટ્રેલર એક ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના લીડ એક્ટર્સ પ્રભાસ અને કૃતિ સેનન આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહ્યા. બંનેએ આ ઇવેન્ટમાં ફિલ્મ સાથે જાેડાયેલા પોતાના અનુભવ શેર કર્યા.Prabhas told fans, I will get married in Tirupati
સાથે જ પ્રભાસે પોતાનો મેરેજ પ્લાન પણ જણાવ્યો. તેવામાં કૃતિએ પ્રભાસના વ્યક્તિત્વ સાથે જાેડાયેલી કેટલીક વાતો પરથી પડદો ઉઠાવ્યો. પ્રભાસ, કૃતિ અને સૈફ અલી ખાનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂને રિલીઝ થઇ રહી છે. ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી જ મૂવીને લઇને જબરદસ્ત ક્રેઝ જાેવા મળી રહ્યો છે.
ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટોકિંગ પોઇન્ટ બનેલું છે. તિરુપતિમાં યોજાયેલા આ ભવ્ય ઇવેન્ટ દરમિયાન પ્રભાસ અને કૃતિએ પોતાના મનની વાત શેર કરી. પ્રભાસે શરૂઆત ફિલ્મના એક ડાયલોગ સાથે કરી અને ફિલ્મને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે.
આ દરમિયાન પ્રભાસે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ એક વાત કહી. મસ્તીના મૂડમાં આવેલા પ્રભાસે પોતાના ફેન્સને કહ્યું, હું તિરુપતિમાં જ લગ્ન કરીશ. આ વાત સાંભળીને સૌકોઇ એક્સાઇટેડ થઇ ગયા અને હૂટિંગ કરવા લાગ્યા. જણાવી દઇએ કે પ્રભાસનું નામ અનુષ્કા શેટ્ટી અને કૃતિ સેનન સાથે જાેડાઇ ચુક્યું છે. ઇવેન્ટ દરમિયાન કૃતિ સેનને પ્રભાસના ભરપૂર વખાણ કર્યા. કૃતિએ કહ્યું કે, રામનું કેરેક્ટર પ્રભાસ કરતાં સારુ કોઇ કરી શકે એમ નહતું.
તેણે કેરેક્ટરને જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરી છે. પ્રભાસના વ્યક્તિત્વને લઇને કૃતિએ કહ્યું, આ ખોટી ધારણા છે કે પ્રભાસ ઓછુ બોલે છે, તે સેટ પર ઘણી વાતો કરતાં હતા. તે સ્વીટ અને હાર્ડ વર્કિંગ છે.SS1MS