પુણેઃ ગુલિયન બેરી સિન્ડ્રોમનો આંકડો ૧૯૭ પર પહોંચ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Gulian-Berry1.jpg)
પુણે, મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા ૧૯૭ પર પહોંચી ગઈ છે.
આ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પુણેના પાંચ દર્દીઓમાં ૨ નવા કેસ અને ૩ અગાઉના કેસ સામેલ છે.
આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે.આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે કે ૧૯૭ કેસમાંથી ૧૭૨ જીબીએસ સંબંધિત કેસોની સારવાર કરવામાં આવી છે. લગભગ ૪૦ દર્દીઓ પુણે મ્યુનિસિપલ કોર્પાેરેશન વિસ્તારના છે, ૯૨ પીએમસીમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી, ૨૯ પિંપરી ચિંચવડ સિવિલ લિમિટના, ૨૮ પુણે ગ્રામીણ અને આઠ અન્ય જિલ્લાના છે.
“૧૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે, ૫૦ ICUમાં છે અને ૨૦ વેન્ટિલેન્ટર સપોર્ટ પર છે.”ગુઇલેન બેરી સિન્ડ્રોમ સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇ સાથે શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
તેમણે કહ્યું કે આ વિસ્તારમાં જીબીએસના કારણે શંકાસ્પદ મૃત્યુની સંખ્યા સાત છે. જીબીએસ એ એક દુર્લભ સ્થિતિ છે જેમાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ ચેતા પર હુમલો કરે છે, પરિણામે સ્નાયુઓની નબળાઇ, પગ અને હાથોમાં સંવેદના ગુમાવવી, તેમજ ગળી જવા અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે.SS1MS