Western Times News

Gujarati News

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી કેમ તાત્કાલીક બોલાવ્યા?

ગુજરાતની મુલાકાત લીધી આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મુકવાની વાત જાહેરમાં કહી હતી.

(એજન્સી)ગાંધીનગર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મુકવાની વાત જાહેરમાં કહી હતી. લોકસભામાં વિપક્ષ નેતાએ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાફ ફૂંકવા માટે તૈયારી શરૂ કરી છે. હવે સામે આવ્યું છે કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.

ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિપક્ષના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓના મનમાં શું છે તે પણ જાણવાનો પ્રયાસ કરશે.

પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતની મુલાકાત બાદ રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં પાર્ટીને ફરી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ કડીમાં ગુજરાત કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને સંગઠનની ગતિવિધિઓ વિશે રણનીતિ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યમાં કોંગ્રેસની આગામી રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

રાહુલ ગાંધીએ નેતાઓ સાથે બેઠક કરીને ફરિયાદ કરી હતી કે, પક્ષના અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્્યાંક ને ક્્યાંક ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે. પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી. જૂના નેતાઓ નાના કાર્યકરોનું સાંભળતા જ નથી.

ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઢ નેતાઓમાં રહી નથી. ૮ અને ૯ એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.