Western Times News

Gujarati News

રજનીકાંત-મણિરત્નમ ૩૩ વર્ષ બાદ સાથે ફિલ્મ કરશે

મુંબઈ, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર અને ડાયરેક્ટર વર્ષોના ગેપ પછી સાથે કામ કરવા તૈયારી કરી રહ્યા છે. રજનીકાંત અને મણિરત્નમે છેલ્લે ૩૩ વર્ષ અગાઉ સાથે કામ કર્યું હતું. વર્ષો પછી તેઓ સાથે ફિલ્મ કરે તેવી શક્યતા છે, જેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ડિસેમ્બર મહિનામાં રજનીકાંતના જન્મદિને થઈ શકે છે. મણિરત્નમ એવા ડાયરેક્ટર છે, જેમની સાથે કામ કરવા દરેક એક્ટર આતુર રહે છે.

મણિરત્નમ અને કમલ હાસન ૩૬ વર્ષ બાદ સાથે કામ કરી રહ્યા હોવાના રિપોટ્‌ર્સ થોડા દિવસ અગાઉ આવ્યા હતા. હવે ૩૩ વર્ષના ગેપ બાદ રજનીકાંત અને મણિરત્નમ સાથે ફિલ્મ કરે તેવી શક્યતા છે. છેલ્લે ૧૯૯૧ના વર્ષમાં તેમણે ‘થલપતિ’માં સાતે કામ કર્યું હતું.

આ ફિલ્મમાં રજનીકાંતની સાથે મામૂટી પણ મહત્ત્વના રોલમાં હતા. મહાભારતમાં કર્ણ અને દુર્યોધનની મિત્રતાને આધુનિક સંદર્ભો સાથે રજૂ કરવાનો પ્રયાસ આ ફિલ્મમાં થયો હતો. રજનીકાંતે તેમાં કર્ણના પ્રતિબિંબ સમાન સૂર્યનું પાત્ર ભજવ્યુ હતું. જ્યારે દુર્યોધન સમાન દેવરાજનો રોલ મામૂટીનો હતો.

અરવિંદ સ્વામી, અમરીશ પુરી અને ભાનુપ્રિયા પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમા હતા. ક્રિટિક્સ અને ઓડિયન્સ બંનેને ખૂબ પસંદ આવેલી આ ફિલ્મનો સમાવેશ કલ્ટમાં થાય છે. રજનીકાંત અત્યારે ગ્યાનવેલ સાથે ‘વેટ્ટૈયાં’માં કામ કરી રહ્યા છે. તેમાં અમિતાભ બચ્ચન અને ફહાદ ફાસિલ મહત્ત્વના રોલમાં છે. શ્›તિ હાસન અને નાગાર્જુન સાથે ‘કુલી’માં પણ રજનીકાંત જોવા મળશે.

મણિરત્નમ ‘ઠગ લાઈફ’નીતૈયારી કરી રહ્યા છે. આમ, રજનીકાંત અને મણિરત્નમ પોતાના પ્રોજેક્ટમાં બિઝી હોવાથી કોઈ અપડેટ આવી નથી. ૧૨ ડિસેમ્બરે રજનીકાંતનો જન્મદિન આવી રહ્યો છે. તેથી આ દિવસે બંને દિગ્ગજોના સંયુક્ત પ્રોજેક્ટની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.