રાજકોટની ૭૦ સોસાયટીમાં ફેલાયો કોરોના વાયરસ

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮૩ કેસ નોંધાયા હતાઃ રાજ્યમાં કોરોનાના કુલ ૮૨૨ એક્ટિવ કેસ
રાજકોટ, રાજકોટમાં કોરોનાએ હાફ સેન્ચ્યુરી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં, કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નેહરુનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી, ભોમેશ્વર, હરીનગર અને એ.જી. સોસાયટી પાસેના વિસ્તારોમાં વધુ નવ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ સક્રિય કેસનો આંક ૫૧ પર પહોંચ્યો છે.
રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની વિવિધ ૭૦ સોસાયટીઓ સુધી કોરોના ફેલાયો છે. ૨૦ દિવસમાં ૧૦૨ કેસ નોંધાયા છે. દર્દીઓમાં ૫૦ યુવાનોનો પણ સમાવેશ થાય છે.
રેસકોર્સ, રામકૃષ્ણ, રૈયારોડ સહિતના વિસ્તારોમાં કોરોનાના બે થી ચાર કેસ નોંધાયા છે. સૌથી વધુ વોર્ડ નંબર ૮ માં ૨૧ કોરોના દર્દીઓ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. તો બીજી તરફ, સુરત શહેરમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
શહેરમાં ૬ દર્દીના કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અડાજણના ર્મ્ંમ્ના કર્મી, પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના પોઝિટિવ આવ્યા. રૂસ્તમપુરાના યુવાન સોફ્ટવેર એન્જિનિયર કોવિડ પોઝિટિવ નોંધાયો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ આંકડો ૫૬ પર પહોંચો છે. તમામ દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જિનોમ સિક્વન્સિંગ માટે ય્મ્ઇઝ્ર, ગાંધીનગર ખાતે મોકલાયા છે.
વડોદરા શહેરમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક આપી છે. કોરોનાના નવા ૬ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ ર્ડો હિતેન્દ્દ ચૌહાણે જણાવ્યું કે, કોરોનામાં અગાઉ જે નિયમોનું પાલન કર્યું હતું તે નિયમો નું હવે ફરી પાલન કરવું.
માસ્ક પહેરવું, સોÂશ્યલ ડિસ્ટટ જાળવવું, ભીડભાળ વાળા સ્થળે જવાનું ટાળવું. આ વેરિઅન્ટ એટલો ખતરનાક નથી પરંતુ તકેદારી લેવી જરૂરી છે. એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હોસ્પિટલ પાસે ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રામાં છે અને સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે.