Western Times News

Gujarati News

રાજૂ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર દિલ્હી ખાતે થશે

મહિનાઓ સુધી બીમારી સામે ઝઝુમનાર રાજૂ શ્રીવાસ્તવે આજે અંતિમ શ્ર્વાસ લીધા હતા. રાજૂના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે દિલ્હી ખાતે થશે તેમ રાજૂના ભાઈ દીપુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

સૌને હસાવી, રડાવી જનાર કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર આવતીકાલે તા.22ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ પહેલા રાજૂનો પરિવાર રાજૂ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર મુંબઈ કે કાનપુરમાં કરવાનો વિચાર કરતો હતો જોકે વિચાર વિમર્શ બાદ પરિવારે અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.