રથયાત્રા: દરિયાપુર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો ફેલાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/T-1-1024x576.jpg)
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા.
આ તકે દરિયાપુરના આગેવાન તોફીકભાઈ (રાજા સાઉન્ડ), જાવેદભાઈ તથા મુસ્લિમ ભાઈઓએ ઉપસ્થિત રહી રથયાત્રા દરમિયાન ઉપસ્થિત ભક્તોને કોઈ તકલીફ ન ન પડે તે માટે સારી સેવા બજાવી હતી. આમ રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.