સસ્તા અનાજના દૂકાનદારો- સંચાલકો હડતાલ પર ઉતર્યા

અનાજના જથ્થાના ઉપાડ, વળતર, ઈ-કેવાયસી મુદ્દે મડાગાંઠ
(એજન્સી)અમદાવાદ, અનાજના જથ્થાના ઉપાડ, વળતર અને ઈ-કેવાયસીમુદ્દે સર્જાયેલી મડાગાંઠને પગલે ગુજરાતના સસ્તા અનાજના દૂકાનદારો- સંચાલકોએ રવિવારથી શટડાઉન કરીને હડતાલ પર ઉતરવાનુ જાહેર કર્યુ છે.ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની આજે બેઠક મળી હતી.
જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે ૧ જુનથી રાશન દુકામાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ રેશનિંગની દૂકાનો બંધ ન રહે તેના માટે રાજ્યના અન્ન- નાગરીક પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધારે અનએફએસએ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કર્યું હોવાના દાવા સાથે બાકી રહેલા રેશનકાર્ડ હોલ્ડરોને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારનો વિભાગ ફકત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય કહેવાય. દુકાનદારોને દબાણ કરવાથી ઈ-કેવાયસી પૂર્ણ નહીં થાય. અમે આ સામે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છીએ. રાજ્ય સરકાર ઈ-કેવાયસી પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ નહીં કરે તો ૧ જૂનથી વિતરણ વ્યવસ્થા બંધ કરીશું.
દુકાનદારોને મળતા ૨૦ હજાર કમિશન અંગે પણ પદ્ધતિ સરકાર બદલે. સરકારનો દાવો છે કે, જરૂરીયાતમંદ નાગરિકોને અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે કેવાયસી અનિવાર્ય છે. જેનાથી સાચા શકે. આ દિશામાં જ ભારત સરકારે નેશનલ ફૂડ સિક્્યુરિટી એક્ટ-એનએફએસએ હેઠળ ઈ-કેવાયસી કરવા રાજ્યોને સુચના આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કર્યુ છે.
બાકી રહેતા નાગરિકો હવે ઘરે બેઠા માય રેશન એપ ઉપરાંત નજીક આવેલી મામલતદાર કચેરી કે ઝોનલ કચેરી કે પછી ગ્રામ પંચાયતમાં જઈને સત્વરે ઈ-કેવાયસી કરાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, સરકારના દાવા વચ્ચે પણ રેશનિંગની દૂકાનોના સંચાલકોએ રવિવારથી હડતાલ યથાવત રાખી છે અને આ લડતને આગળ વધારવા રવિવારે અમદાવાદમાં બેઠક પણ બોલાવી છે.
થોડા દિવસ પહેલા રેશનકાર્ડ દુકાનદારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં ૧ જુનથી રાશન દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં દુકાનદારોને પડતી વિવિધ મુદાઓને લઈને ચર્ચા થઈ હતી. બેઠક અંગે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મતગણતરી પ્રક્રિયા સરકાર જે રીતે કરે એ પ્રમાણે ઈ-કેવાયસી પણ કરવું જોઈતું હતું. ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.