પાકિસ્તાનીઓેના દેશનિકાલ મામલે ફેરવિચારણા કરોઃ મેહબૂબા મુફ્તી

શ્રીનગર, પહેલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે આદેશ આપ્યો છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના પ્રમુખ મેહબૂબા મુફ્તીએ મંગળવારે સરકારને એ પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાના નિર્ણય પર ફેરવિચારણા કરવા વિનંતી કરી છે, જે ભારતીયો સાથે વિવાહિત છે અને કેટલાય વર્ષાેથી અહીંયા રહી રહ્યા છે.
તેમણે સરકારને અપીલ કરી છે કે આ મામલામાં સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે.મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે, ભારતમાંથી તમામ પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાના તાજેતરના સરકારી આદેશને લીધે ગંભીર માનવીય ચિંતાઓ જન્મી છે, એમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આ સ્થિતિ વધુ મુશ્કેલીભરી છે.
૩૦-૪૦ વર્ષ પહેલા ભારત આવેલી મહિલાઓ પણ તેના ભોગ બની રહી છે અને ભારતીય નાગરિકો સાથે લગ્ન કર્યા, પરિવારનું પાલન-પોષણ કર્યું અને લાંબા સમયથી આપણા સમાજનો હિસ્સો રહી છે.SS1MS