રશિયાના યુક્રેન પર ૧૫૦થી વધુ ડ્રોન હુમલાઃ ચારનાં મોત, પાંચ લોકો ઘાયલ

કિવ, રશિયાએ યુક્રેન પર ૧૫૦ ડ્રોન હુમલા કરીને અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ડ્રોન હુમલા એવા સમયે થયા છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની યુદ્ધ સમાપ્ત કરવાની ઈચ્છા અને તૈયારી પર શંકા વ્યક્ત કરી હતી.
કોસ્ટ્યાન્ટિનીવકા પર થયેલા હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ચાર ઘાયલ થયા હતા. સ્થાનિક ગવર્નર સેરહી લિસાકે જણાવ્યું હતું કે, ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશના પાવલોહરાડ શહેરમાં સતત ત્રીજી રાત્રે થયેલા ડ્રોન હુમલામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ૧૪ વર્ષની છોકરી ઘાયલ થઈ હતી.
યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ ૧૪૯ વિસ્ફોટક ડ્રોન અને ઉપકરણોનો ઉપયોગ કર્યાે હતો, જેમાંથી ૫૭ને અટકાવવામાં આવ્યા હતા અને ૬૭ને જપ્ત કરવામાં આવ્યા હતા.યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ કુર્સ્ક પ્રદેશના બાકીના ભાગ પર ફરીથી નિયંત્રણ મેળવ્યાનો દાવો કર્યાે હોવાથી આ હુમલાઓ થયા છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં કુર્સ્ક પ્રદેશ યુક્રેનિયન દળો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. કુર્સ્ક ખાતેનું યુદ્ધ હજુ પણ ચાલુ છે. ટ્રમ્પે જણાવ્યા મુજબ તેમને શંકા છે કે પુતિન યુક્રેનમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માંગે છે. તેમણે એ પણ શંકા વ્યક્ત કરી કે શાંતિ કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન અને રશિયા એક કરારની ખૂબ નજીક છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ટ્રમ્પના ક્રિમીયાને રશિયાનો ભાગ જાહેર કરવાના પ્રસ્તાવથી યુક્રેનિયન સરકાર ચોંકી ગઈ છે.
આ પ્રસ્તાવ અંગે યુક્રેનિયન અધિકારીઓ અને જનતાનું સ્પષ્ટ કહેવું છે કે, તેઓ ક્યારેય ક્રિમીયાને રશિયાના ભાગ તરીકે સ્વીકારશે નહીં, ભલે તેમને શાંતિ કરારના ભાગ રૂપે તેને અસ્થાયી રૂપે છોડી દેવું પડે. યુક્રેનિયન નેતાઓ માને છે કે આવું પગલું તેમના દેશની સાર્વભૌમત્વ અને બંધારણની વિરુદ્ધ હશે.
નિષ્ણાતોના મતે, ૨૦૧૪માં રશિયા દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલી જમીનને છોડી દેવી રાજકીય અને કાનૂની રીતે પણ અશક્ય છે. તેના માટે યુક્રેનિયન બંધારણમાં ફેરફાર અને રાષ્ટ્રવ્યાપી મતદાનની જરૂર પડશે. કાયદા ઘડવૈયાઓ અને જનતા આ વિચારનો સખત વિરોધ કરે છે.SS1MS