Western Times News

Gujarati News

મોદીને મોસ્કોમાં યુદ્ધ ગુનેગાર પુતિનને ભેટતાં જોઈ દુઃખ થયુંઃ ડોનાલ્ડ લૂ

વોશિંગ્ટન, અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકી સાંસદોને જણાવ્યું છે કે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વોશિંગ્ટનમાં નાટો સમીટની યજમાની કરી રહ્યાં હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાતના પ્રતીકવાદ અને સમયથી યુએસ નિરાશ થયું હતું.

વડાપ્રધાન મોદીએ ૨૨મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર ૮-૯ જુલાઈના રોજ રશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ મોદીનો આ પ્રથમ રશિયા પ્રવાસ હતો. ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણની ભારતે હજુ સુધી નિંદા કરી નથી તથા વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના નિરાકરણની હાકલ કરી છે.

મંગળવારે વોશિંગ્ટનમાં સાંસદોને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના મોસ્કો પ્રવાસના પ્રતીકવાદ અને સમય વિશેની આપણી નિરાશા સાથે હું સંપૂર્ણ સહમત છું.

અમે અમારા ભારતીય મિત્રો સાથે તે અંગે આકરી વાતચીત કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે વડાપ્રધાન મોદીએ મોસ્કો ગયા તેના બે અઠવાડિયા પહેલા ઇટાલીમાં ય્૭ સમિટ દરમિયાન યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીને પણ મળ્યાં હતાં.

મોદી મોસ્કોમાં હતાં ત્યારે તેમણે શું કર્યું તે અમેરિકા ખૂબ જ ધ્યાનથી જોયું હતું. કોઇ મોટી સંરક્ષણ ડીલ થઈ ન હતી. કોઇ ટેકનોલોજી સહકારની ચર્ચા થઈ ન હતી.

આ ઉપરાંત, લાઇવ ટેલિવિઝન પર પુતિનની સામે મોદીએ કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ યુદ્ધના મેદાનમાં જીતી શકાશે નહીં અને યુદ્ધમાં બાળકોના મૃત્યુને જોઈને પીડા થાય છે. લુ આ મુદ્દા પર ઇન્ડિયા કોકસના ભૂતપૂર્વ સહ-અધ્યક્ષ જો વિલ્સનના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં.

વિલ્સને જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હું ખૂબ આદર કરું છું અને પ્રશંસા કરું છું, પરંતુ તે દિવસે મોસ્કોમાં યુદ્ધ ગુનેગાર પુતિનને ગળે લગાડતા જોઈને હું ચોંકી ગયો હતો અને દુઃખી થયો હતો. તે દિવસે પુતિને યુક્રેનના કિવમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર ઇરાદાપૂર્વક મિસાઈલ છોડી દીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.