સૈયદના મફદ્દલ સાઇફુદ્દીન અમદાવાદના દાવુદી બોહરા વારસાને લઈને વિચાર વિમર્શ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/IMG-20241229-WA0006-1024x683.jpg)
અમદાવાદ:શનિવાર 28 ડિસેમ્બર 2024 વિશ્વવ્યાપી દાવુદી બોહરા સમુદાયના ધર્મગુરુ, હિઝ હોળીનેસ સૈયદના મફદ્દલ સાઇફુદ્દીને આજે શહેરના આસ્તોદિયામાં સ્થિત કુતબી મસ્જિદ ખાતે સમુદાયના હજારો સભ્યોને સંબોધિત કર્યા.
આ અવસરે 32મા દાઈ, સૈયદના કુતબ ખાન કુતબુદ્દીનની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૈયદના કુતબુદ્દીનનો સમાધિસ્થાન સરસપુરના મઝાર-એ-કુતબીમાં છે, જે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સમુદાય માટે શ્રદ્ધાનું પ્રતિક છે.
કુતબી મસ્જિદ કમ્પ્લેક્સ અને શહેરના વિવિધ સમુદાય કેન્દ્રોમાં એકત્રિત થયેલા 45,000થી વધુ સમુદાય સભ્યોને સંબોધન કરતા સૈયદનાએ અમદાવાદ અને તેમના પૂર્વજોના ઘનિષ્ઠ સંબંધ પર પ્રકાશ પાડ્યો. તેઓએ યાદ અપાવ્યું કે તેમના પિતાશ્રી અને દાદાશ્રીનાં અમદાવાદના પ્રવાસો દ્વારા સમુદાય માટે આપેલ નેતૃત્વ અને માર્ગદર્શનને આજે પણ યાદ કરવામાં આવે છે.
સૈયદના કુતબુદ્દીનની ઉન્નત ગુણવત્તાઓ પર પ્રકાશ પાડતા સૈયદનાએ નેતૃત્વના સત્ય અર્થ અને સમુદાય માટે કરેલ ત્યાગની મહત્તાને વકરાવી. તેમણે આ પ્રસંગે એક ઐતિહાસિક ઘટના ઉલ્લેખ કરી, જેમાં સૈયદના કુતબ ખાન કુતબુદ્દીનનું શહાદત અમદાવાદના કરંજમાં, સાબરમતી નદીના કિનારે થયું હતું.
સૈયદના મફદ્દલ સાઇફુદ્દીન 26 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈથી અમદાવાદની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા.
કાંઇ કેટલાય પેઢીઓથી દાવુદી બોહરા સમુદાય અમદાવાદના સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક તંતુઓનો અવિભાજ્ય ભાગ રહ્યો છે.
શહેરના જામાલપુર, વટવા, કલુપુર, ખાનપુર, પાલડી, નવરંગપુરા અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં રહેતા 8,000થી વધુ સમુદાય સભ્યો શહેરના ઉદ્યોગસાહસિક અને વેપારિક ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. તેમના શ્રમ અને પ્રતિબદ્ધતા દ્વારા ગુજરાતના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.