સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય મારુતિનંદન મહાયજ્ઞ યોજાશે
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે બીરાજમાન ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે મારુતિનંદન મહાયજ્ઞ યોજાશ. સાકરિયા ગામે બીરાજમાન હનુમાન દાદાની મૂર્તિ બહુજ અલૌકીક છે
જાણે લંકા દહન કરીને હનુમાનજી દાદા આ જગ્યા પર આરામ કરતા હોય તેવી અલૌકીક મૂર્તિના દર્શન થાય છે.
આખા ભારત દેશ માં આવી અલૌકીક મૂર્તિ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી છે અને બીજી સાકરીયા ગામે બીરાજમાન છે
સૂતેલા હનુમાનજી મારુતિ નંદન મહાયજ્ઞમાં ૪૫ જાેડા યજ્ઞમો બેસવાનો લાભ લેશે. અને અને યજ્ઞ પૂરો થાય ત્યારે સાંજે મહાપ્રસાદનો પણ આયોજન કરેલ છે ૨૦થી ૨૫૦૦૦ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે આ મંદીર ૬ કરોડના ખર્ચે નવનિર્માણ પામવા જઈ રહ્યું છે આ સમગ્ર હનુમાન જયંતિ મહોત્સવની સફળ બનાવવા સાકરીયા ગામના ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.