શંખેશ્વરના આ પરિવારે કેનાલમાં કેમ ઝંપલાવી જીવન ટૂકાવ્યું?

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યાંનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
અમદાવાદ, રાજ્યમાં સરકારે ભલે વ્યાજખોરોને સંકજામાં લેવા મોટે અભિયાન ચલાવ્યો હોય પરંતુ હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જે વ્યાજખોરોના ત્રાસથી ફરી એક પરિવારે આપઘાત કર્યો છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો છે.
શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને દીકરાનો કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેના પગલે ધર્મેશ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ, પ્રકાશનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, કેનાલ પાસેથી કાર મળી છે, જે કારમાંથી સ્યુસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે.
મૃતકના પિતા ખેતાભાઈ પંચાલે કહ્યું કે, આ ત્રણ જણ દસ વર્ષથી શંખેશ્વર રહેતા હતા જ્યાં તેમને કારખાનામાં ખોટ જતા તેમણે વ્યાજથી પૈસા લીધા હતા, જે વ્યાજખોરો ધાક ધમકી આપતા હતા, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે, જેના કારણે ત્રણેય આપઘાત કર્યો છે
શંખેશ્વરમાં રહેતા પતિ, પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે, તો પોલીસને નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર ૩૬ વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર ૧૦ વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર ૩૮ વર્ષનો મૃતદેહ મળ્યો હતો.
પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા અને પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લીધા હતા. તેમજ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસને જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસ કોલ ડિટેઈલના આધારે અથવા પરિવારના કોઈ સભ્યો કહે કે આ વ્યકિત પાસેથી રૂપિયા લીધા હતા તો તેને બોલાવીને પોલીસ પૂછપરછ કરી શકે છે અને ગુનો પણ નોંધી શકે છે, સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે.