સિંધુ જળ સંધિ, આતંક મુદ્દે મંત્રણાની પાકિસ્તાનની અપીલ ભારતે ફરી ફગાવી

આતંકવાદ સામે નક્કર પગલા ન લેવાય ત્યાં સુધી મંત્રણા કરવાનો ઇનકાર
ભારતે પુનરોચ્ચાર કર્યાે હતો કે જ્યાં સુધી ઇસ્લામાબાદ આતંકવાદ સામે નક્કર અને અસરકારક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ થશે નહીં
નવી દિલ્હી,સિંધુ જળ સંધિ, આતંકવાદ અને કાશ્મીર સહિતના મુદ્દે મંત્રણા કરવાની પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અપીલને ભારતે ગુરુવારે ફરી એક વાર ફગાવી દીધો હતો. ભારતે પુનરોચ્ચાર કર્યાે હતો કે જ્યાં સુધી ઇસ્લામાબાદ આતંકવાદ સામે નક્કર અને અસરકારક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ થશે નહીં.૨૨ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સ્થગિત કરાયેલી સિંધુ જળ સંધિ અંગે ભારતે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમાપાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે ફરી એકવાર ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. અમે આતંકવાદીઓના નામની યાદી થોડા વર્ષાે પહેલા પાકિસ્તાનને આપી હતી.પાકિસ્તાને આ આતંકવાદીઓ ભારતને સોંપવા પડશે. જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ફક્ત ાઁર્ ખાલી કરવા કરવા પર જ થશે. સિંધુ જળ સંધિ અંગે જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદીઓને સમર્થન બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી કહ્યું છે કે ટેરર અને ટોક એકસાથે ચાલી શકે નહીં, ટેરર અને ટ્રેડ એકસાથે ચાલી શકે નહીં અને પાણી અને લોહી એકસાથે વહી શકે નહીં.
ભારત સાથે કાશ્મીર વિવાદ અને આતંકવાદ વિરોધી મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયારી દર્શાવતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે આગામી સમય માટે ત્રાસવાદના ખતરાને હરાવવા માટે આનાથી મોટી પ્રતિબદ્ધતા અને ઇરાદો હોઈ શકે નહીં અને તેમાં ભારત સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પ્રામાણિક સહયોગ ઇચ્છે છે, તો પાકિસ્તાન ભારત સાથે વેપારને પ્રોત્સાહન આપવા સાથે તૈયાર રહેશે. આ તમામ મુદ્દાઓ પર ટેબલ પર ચર્ચા કરવાની જરૂર છે.SS1