ઉત્તરપ્રદેશમાં એક કાર વૃક્ષ સાથે અથડાતા છનાં મોત

ગોરખપુર, ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં એક કાર વૃક્ષ સાથે અથડાઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે રાત્રે શુક્લા ભુજૌલી ચાર રસ્તા પર બની હતી, જ્યાં કારમાં મુસાફરી કરી રહેલા લોકો લગ્નમાં સામેલ થવા દેવગાંવ ગામ જઈ રહ્યા હતા.
પોલીસ અધિકારીઓના કહેવા મુજબ, સ્થાનિક લોકોની મદદથી પોલીસે કારમાં યાત્રા કરી રહેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં ડોક્ટરોએ ૬ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બાકીના બેની સારવાર ચાલી રહી છે.
કુશીનગરના પોલીસ અધિકારી સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોમાં બે ભાઈ હરેન્દ્ર મદ્ધેશિયા અને યોગેન્દ્ર મદ્ધેશિયા, રંજીત, મુકેશ, ભીમ લક્ષ્મણ યાદવ અને કાર ડ્રાઇવર ઓમ પ્રકાશ સામેલ છે.SS1MS