Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છેઃ રથની છતમાં લાલ અને પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ

Puri

વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેની પાસેથી મળેલી વિરાસતમાં એન્જીનિયરિંગ જાણે છે-ભગવાન જગન્નાથના રથ બનાવવા માટે ખાસ એન્જીનિયરીંગનો ઉપયોગ થાય છે 

(એજન્સી)પુરી, ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવાય છે, જ્યારે બલભદ્ર અને સુભદ્રાના રથને ક્રમશઃ તાલધ્વજ અને દર્પદલન કહેવાય છે. દર વર્ષે આ રથને નવો બનાવામાં આવે છે અને રથયાત્રા જુલૂસમાં કાઢવામાં આવે છે. રથયાત્રાના રથને દર વર્ષે ૯ દિવસની રથયાત્રા પુરી થયા બાદ તોડી નાખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, આ રથનું મહત્વ કથા ઉપનિષદના પવિત્ર પાઠના માધ્યમથી સમજી શકાય છે. રથ દેવતાના શરીર જેવું દેખાય છે અને રથની અંદર રાખેલા દેવતાનું પ્રતીક દેવતાની આત્મા સાથે મળતો આવે છે. કાળી લાકડી ઉપરાંત રથ બનાવવામાં કોઈ લેખિત ફોર્મ્યુલા અથવા બ્લૂ પ્રિન્ટ નથી.

વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેની પાસેથી મળેલી વિરાસતમાં એન્જીનિયરિંગ જાણે છે. રથ અથવા રથ હાલતા ચાલતા મંદિરો તરફ દેખાય છે. રથ બનાવવાની પરંપરા અનુસાર નંદીઘોષ ૩૩ હાથ ઊંચો હોય છે. આ રથને બનાવવામાં ૧૬ પૈડા લાગે છે અને ૮૩૨ લાકડાના ટુકડાનો ઉપયોગ થાય છે.

સુભદ્રાનું દર્પદલન રથ ૩૧ હાથ ઊંચો હોય છે. આ રથને બનાવવામાં ૧૨ પૈડા લાગે છે અને ૫૯૩ લાકડાના ટુકડાનો ઉપયોગ થાય છે. બલભદ્રનો તાલધ્વજ રથ ૩૨ હાથ અને ૧૦ આંગળી ઊંચો હોય છે. આ રથને બનાવવામાં ૧૪ પૈડા લાગે છે અને ૭૬૩ લાકડાનો ઉપયોગ થાય છે.

સ્કંદ પુરાણમાં રથની સજાવટનું વર્ણન કર્યું છે. ત્રણ રથમાં ૧૧૨૦ મીટર કપડા ઢંકાયેલા હોય છે. ભગવાન જગન્નાનાથ રથની છતમાં લાલ અને પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ થાય છે. આ પ્રકાર તલધ્વજ રથમાં લાલ અને લીલા રંગના વસ્ત્રોનો ઉપયોગ થાય છે, તો વળી દેવી સુભદ્રાના રથમાં લાલ અને કાળા વસ્ત્રોનો ઉપયોગ થાય છે, જેને દર્પદલન કહેવાય છે.

રથના પૈડાની નીચે એક ભક્તનું આકસ્મિત મોત બાદ ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રથ વધુ એક એન્જીનિયરીંગ જાેવામાં આવ્યું કે, હવે લાકડાની બ્રેક સિસ્ટમ પણ લગાવે છે. આ રથને રસ્તામાં વચ્ચે રોકવામાં મદદ કરે છે. ઝારસુગુડાનો એક શખ્સ દર વર્ષે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા મંજૂરી મળ્યા બાદ રથ માટે બ્રેક બનાવી રહ્યા છે.

રથયાત્રાનો અંગ્રેજી શબ્દ  Juggernaની વ્યત્પતિ છે, જેનો અર્થ એક અજેય શક્તિ થાય છે. આ રથના દરેક ભાગને કેટલાય સુથાર, લુહાર, દરજી અને ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે આ રથ પર ૫૮ દિવસ સુધી કામ કરે છે.

પૈડા અને રથને બનાવવા માટે લોખંડના ખિલાનો ઉપયોગ થાય છે. રથ બન્યા બાદ એન્જીનિયરીંગની એક ટીમ ફિટનેસ પરીક્ષણ કરે છે. આ અગાઉ તે ગુંડિચા મંદિરના ભવ્ય માર્ગ, બડાડાંડા પર દોડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.