Western Times News

Gujarati News

POKમાં રહેતા લોકો પણ ભારતના પરિવારનો હિસ્સોઃ રાજનાથ સિંહ

તેઓ ભારતમાં પરત ફરશે તેવો સંરક્ષણ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યાે

પાકિસ્તાન પોષિત આતંકવાદ સામે ભારતે હવે તેની રણનીતિ તથા પ્રતિક્રિયાને નવા રૂપમાં પરિભાષિત કર્યા

નવી દિલ્હી,ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના નાગરિકોને ભારતીય પરિવારનો જ હિસ્સો ગણાવતા તે મુખ્ય પ્રવાહમાં પરત આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો. રાજનાથ સિંહે સીઆઈઈના એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, પાકિસ્તાન પોષિત આતંકવાદ સામે ભારતે હવે તેની રણનીતિ તથા પ્રતિક્રિયાને નવા રૂપમાં પરિભાષિત કર્યા છે. હવે ઈસ્લામાબાદ સાથે સંભિોવત વાતચીત માત્ર આતંકવાદ અને પીઓકેને લઈને જ થશે.

રાજનાથ સિંહે પીઓકેમાં રહેતા લોકોને ટાંકીને કહ્યું કે, ત્યાં વસવાટ કરતા અમારા ભાઈઓ અને બહેનોની સ્થિતિ વીર મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિ સિંહ જેવી છે. અલગ પડ્યા હોવા છતાં મોટાભાઈનો નાનાભાઈ પ્રત્યેનો વિશ્વાસ અતૂટ રહ્યો હતો.રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ભારત પીઓકેના લોકોને પોતાના પરિવારનો હિસ્સો જ માને છે, મારું માનવું છે કે પીઓકેના લોકો આપણા પરિવારનો હિસ્સો છે. મને વિશ્વાસ છે કે, આજે ભૌગોલિક અને રાજકીય રીતે ભારતથી અલગ થયેલા આપણા લોકો પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળીને ભારતના મુખ્ય પ્રવાહમાં જરૂર પરત ફરશે. અમે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.