વડાલીના કૂબાધરોલ ગામે સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, વડાલી તાલુકાના કૂબાધરોલ ગામે ગામે (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ રંગે ચંગે અને ધામધુમથી ઉજવાયો. પૂ.જનમંગલ સ્વામી તથા પૂ.મંગલ પુરુષ સ્વામી હિંમતનગર મંદિરના કોઠારીના સાનિધ્ય માં વડાલીના કુભાધરોલ ખાતે મા સ્વામિનારાયણ મંદિરનો સાતમો પાટોત્સવ ખૂબધામ પૂર્વક ઉજવવામાં આવ્યો.
જેમાં મંદિર પ્રતિષ્ઠામાં મંદિરનુ પ્રક્ષાલન અને સાંજે મહાપુજા, સંતો તથા હરિભક્તોની સભા અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૭૦૦ થી વધુ હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આખા ગામની ભોજન વ્યવસ્થા ખૂબ સુંદરતાથી કરવામાં આવી હતી. જેમાં મંદિરના હરિભક્તોએ ખૂબ જ મહેનત ઉઠાવીને અને કાર્યક્રમને સંપૂર્ણ સારી રીતે ફાળ પડ્યો