“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં પોલીસે પત્રકારોને પ્રેક્ષક બનાવી દીધા

માહિતી ખાતાની ન્યુઝ અને મિડિયા રીલેશન શાખા દ્વારા ગુજરાતના પત્રકારોને તા.૧૪ મેં અને બુધવારે એક નિમંત્રણ પાઠવવામાં આવ્યું તથા તેમાં જણાવાયું કે આઈ – પ્રગતિ, તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઈમ રિફંડ અને અનફ્રીઝ બેંક એકાઉન્ટ પોર્ટલ અનાવરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં બપોરે ૧ઃ૦૦ કલાકે નર્મદા હાલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌ મીડિયા મિત્રોને નિમંત્રણ છે.
માહિતી ખાતાનું નિમંત્રણ હતું એટલે સૌ પત્રકારો તેમાં ઉપસ્થિત રહ્યા. પરંતુ પત્રકારો સાથે સેકન્ડ સિટીઝન જેવો વ્યવહાર આ કાર્યક્રમમાં થયો.હોલની પ્રથમ હરોળ આઈ.પી.અધિકારીઓ માટે જ અનામત રખાઇ. ત્યાં કોઈ પત્રકારોને બેસવા ન દેવાયા.
એક પત્રકાર બેઠાં તો તેઓને પણ ઉભા કરાયા. પોર્ટલના ઉદ્દઘાટન બાદ પત્રકારોને એક પણ પ્રશ્ન પૂછવા દેવામાં આવ્યો નહોતો.કાર્યક્રમ બાદ ભોજન સમારંભમા પણ ભેદભાવ કરાયો.ભોજન પ્રબંધક હોટલ ફોરચ્યૂન (ઉર્ફે હોટલ હવેલી) દ્વારા ભોજન માત્ર આઈ.પી. એસ. અધિકારીઓ માટે જ હોય એમ ત્યાં ઉપસ્થિત ૦૮-૧૦ આઈ.પી.એસ. પીરસવામાં આવતું હતું.
અરે ભોજનમાં ભેદભાવ રખાયો હતો. આઈ.પી.એસ.અધિકારીઓને ખાસ પનીરના વડા પીરસવામા આવ્યા હતા.જે કોઈ પત્રકારોને નસીબ નહોતાં થયાં.
આઈસ્ક્રીમ પણ પત્રકારોએ જાતે બાઉલમાંથી કાઢવો પડ્યો હતો એ દ્રશ્ય ખૂબ જ શરમજનક હતું.આમ તો આવા મોટા સમૂહમાં પત્રકારો એકઠા થાય ત્યારે ભોજનની વ્યવસ્થા માહિતી ખાતું ખૂબ સરસ રીતે કરતું હોય છે.
અહીં વ્યવસ્થામાં માહિતી ખાતાની ગેરહાજરી વર્તાતી હતી. ગેરહાજરી તો મિડિયા ફ્રેન્ડલી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ સાલી.એ હોત તો પત્રકારો સાથે આવું ન થયું હોત!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના ‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.
૨૦૨૪-ની બેચના ૮ આઇ.એ.એસ. સરકારમા વિધિવત જોડાયા
૨૦૨૪ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૮ આઈ.એ.એસ. અધિકારીઓ જરૂરી તાલીમ લઈને વિધિવત રીતે સરકારમાં જોડાવા માટે ગત તા.૧૨મી મે’ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિવેક મુલાકાતે ગયા હતા.
ગુજરાતને મળેલાં આ આઠ અધિકારીઓમાં મહિલાઓની બહુમતી છે.૮માંથી ૫ બહેનો છે જે વિવિધ રાજ્યોમાંથી આવે છે.પાંચ પૈકીની બે બહેનો ડોક્ટર થયેલી છે.આ નવોદિત અધિકારીઓ વિશે સાંપડેલી માહિતી એવી છે કે (૧)ઃ- જમ્મુથી આવતા કુ.અપરાજીત આર્યન બી.કોમ.થયા છે.નૃત્ય અને તરણ એ એમના રસના વિષયો છે.તેમને ખેડા જિલ્લો ફાળવાયો છે
(૨)ઃ-જારખંડથી આવતા અતુલ સિંઘ મીકેનીકલ એન્જિનિયરિંગના વિષય સાથે બી.ટેક.થયા છે.સંગીત અને તરણ એમના રસના વિષયો છે.એમને અમરેલી જિલ્લામાં મુક્યાં છે.(૩)ઃ-તામીલનાડુથી આવતા કુ.ધરણી એમ. બી.ડી.એસ.થયેલા છે.ભાષા,સુશોભન, વ્યવસ્થાપન અને ગાયન એ એમનાં રસના વિષયો છે તેઓ કચ્છમાં કામ કરશે(૪)ઃ-મહારાષ્ટ્રના કુ.વૃશાલી સાંતારામ કાંબલે બી?એ.થયા છે.
ચિત્રકામ અને પ્રવાસ એ એમનાં રસના વિષયો છે.તેઓ રાજકોટ મુકાયા છે.(૫)ઃ-રાજસ્થાનના નેહા બ્યાદવાલ સ્નાતક થયા છે.ગાયન, નૃત્ય, વક્તૃત્વ કળા તરણ નવી રમતો એ એમના રસના વિષયો છે.તેઓ ભરૂચ મુકાયા છે(૬) મહારાષ્ટ્રથી આવેલા અભિષેક પ્રમોદ તાલે બી.એ.થયા છે.તરણ એમના રસનો વિષય છે.તેઓ બનાસકાંઠા મુકાયા છે.(૭) ઉત્તરાખંડથી આવતા કુ.ડો.ઋતીકા અઈમા એમ.બી.બી. એસ. થયા છે.
બગીચા ઉછેર,સઘન તાલીમ એ એમના રસના વિષયો છે.તેઓ તાપી જિલ્લામાં કામ કરશે.(૮)સુરતથી આવતા કુ.અંજલી અજય ઠાકુર બી.એસ.સી.થયા છે.સંગીત એમના રસનો વિષય છે.એમને પંચમહાલ જિલ્લામાં મુક્યા છે.આ બધામાં ૨૦૦૦મા જન્મેલા અંજલિ ઠાકુર સૌથી નાનાં, માત્ર ૨૫ વર્ષના છે.જ્યારે સૌથી મોટા ૧૯૯૨મા જન્મેલા અભિષેક તાલે ૩૨વર્ષના છે.
યોગેશ મુક્તિ(પટેલ)ને થયેલી સજા ઉદ્દંડ રાજકારણીઓ માટે બોધપાઠ છે
વર્ષ 2014માં દબાણ હટાવવાની કામગીરી કરવા ગયેલા વડોદરા મનપાના અધિકારીને ડેપ્યુટી મેયરે ચાર થપ્પડ મારી અને સજા મળી 6 મહિનાની સાદી કેદ અને 1000 રૂપિયા
આજથી ૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૪મા વડોદરા મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર-૮ના ઓફિસર જગપાલ નંદાણીયા(તસ્વીરમાં જમણે) કમિશનરની સૂચનાથી કારેલી બાગ બોડા સર્કલથી અમિતનગર સુધીના દબાણો દૂર કરી રહ્યા હતા.
ત્યારે તત્કાલીન ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિ (પટેલ) (તસ્વીરમાં ડાબે)ત્યાં આવ્યા અને દબાણ હટાવની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કર્યો.
આમ છતાં નંદાણીયા પોતાની ફરજ બજાવતા રહ્યા એટલે યોગેશ મુક્તિ ગુસ્સે થઈને જગપાલને ચાર થપ્પડ મારી.
આ અન્યાય સામે નંદાણીયા કોર્ટમાં ગયા અને અંતે ચુકાદો નંદાણીયાની તરફેણમાં આવ્યો. વડોદરા કોર્ટે યોગેશ મુક્તિને ૬ માસની કેદની સજા અને રૂ.૧૦૦૦/-નો દંડ ફટકાર્યો છે.
આવા કિસ્સામાં મોટા ભાગે સરકારી અધિકારીઓએ (ભલેને એ આઇ.એ.એસ. અધિકારી પણ હોય) રાજકીય ગુંડાગીરી સામે લાચારીથી સમાધાન કરવું પડતું હોય છે! તેમાં આ એક અપવાદરૂપ કિસ્સો છે આ માટે જગપાલ નંદાણીયાની મક્કમતા પણ કામ કરી ગઈ હોય એવું જણાય છે.
માયાભાઈ આહીરના દીકરા જયરાજને તળાજાથી ટિકિટ મળે એ માટે પ્રચાર શરૂ!
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની અને લોકસાહિત્યના જાણીતા અને લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર તળાજા તાલુકાના યુવા ભા.જ.ના હોદ્દેદાર છે.તેને સને ૨૦૨૭મા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તળાજાની બેઠકની ટિકિટ મળે એ માટેના પ્રયત્નો પિતા – પુત્રએ શરૂ કરી દીધાં છે.
આ પ્રચારની પદ્ધતિ એવી છે કે તળાજા વિસ્તારમાં કોઈ લોકસાહિત્યનો કાર્યક્રમ હોય તો માયાભાઈના મિત્ર બ્રિજરાજ ગઢવી સ્ટેજ પરથી એવું બોલે કે જયરાજને સંગઠનમાં નથી જોવો,એને તો ધારાસભામાં જોવો છે.
વગેરે વગેરે.બ્રિજરાજ ગઢવી આ માટે પોતે માતાજીને પ્રાર્થના કરશે એવું પણ કહે છે.આ પ્રચાર ૪ વર્ષથી ચાલે છે.
ચાર વર્ષ પહેલાં દેવાયત ખાવડે આની શરૂઆત કરી હતી.એવુ કહેવાય છે કે ભા.જ.પ.મા ટિકિટ વહેંચાય છે, વેચાતી નથી! અન્યથા ધારાસભાની એક ટિકિટ ખરીદવાની તાકાત તો માયાભાઈ આહીરમાં છે હોં!
સ્વર્ણિમ સંકુલ-૧માં ચોથા માળે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા વિષ્ણુ ચૌધરી
સ્વર્ણિમ સંકુલ-૧માં ૪થા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેલી ટપાલ સ્વીકારવા બેસતા એસ.આર.પી જવાન વિષ્ણુ ચૌધરી અરજદારો સાથે અત્યંત સલુકાઈથી વર્તે છે અને નિષ્ઠાપૂર્વક સેવા બજાવે છે.
આ ચૌધરી કોઈ ગરીબ અને અભણ અરજદાર રજુઆતની માત્ર એક જ નકલ લઈને આવ્યો હોય તો તેની અરજીની એક નકલ કાઢી આપીને એની પર સ્વીકૃતિના સહી-સીક્કા કરી આપે છે.
તેમજ સખ્ત ગરમી આવતા અરજદારને પાણીનો વિવેક કરે છે.વિષ્ણુ પટેલ જેવી કાર્યનિષ્ઠા સૌમાં હોય તો કેવું સારું?