ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં ૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાયો
(પ્રતિનિધિ)બાયડ, ધનસુરા સ્વામિનારાયણ મંદિર માં ૭ મો વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ભગવાનજી ની અસીમ કૃપાથી તથા પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા સમગ્ર ધર્મકુળ ના આશીર્વાદ થી તથા દાદાગુરૂ અ.નિ.ભંડારીદાદા શ્રી જાનકીવલ્લભદાસજી સ્વામી ની દિવ્ય પ્રેરણા થી તથા સ.ગુ.મહંત સ્વામીશ્રી ધર્મસ્વરૂપદાસજી ના માર્ગદર્શન મુજબ ધનસુરા સ્વામિનારાયણ મંદિર માં શાકોત્સવ અને સાતમો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો.
આ પાટોત્સવના યજમાન પ.ભ શ્રી અ.નિ શંકરભાઈ છગનભાઈ રેવાભાઈ પટેલ તથા પ.ભ શ્રી જશુભાઈ છગનભાઈ રેવાભાઈ પટેલ હતા.કાર્યક્રમ નું સુંદર આયોજન ધનસુરા મંદિર ના પાર્ષદ પરેશ ભગત,કોઠારી માધુભાઈ પટેલ સંચાલક મંડળ અને સત્સંગ સમાજ ધ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ના દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો.જેમાં સંતો મહંતો અને હરિભક્તો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.