આધેડના ગુમ થયાના ૧૦ દિવસ બાદ મૃતદેહ મળ્યો

ખેડા, ખેડા કલોલી સાબરમતી નદીના કિનારેથી અમદાવાદના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ડાયરી મળી હતી.
આ ડાયરીના આધારે પોલીસ ટીમ મૃતક આધેડના પરિવાર સુધી પહોંચી હતી. પરિવારજનોએ મૃતકની બૂટ અને વિંટીના આધારે ઓળખ કરી હતી. આ આધેડ ૧૮મી ઓગસ્ટે નોકરી જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો. રવિવારે સવારે કલોલી પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટ્ટામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. મૃતદેહનો કબજાે મેળવીને તપાસ કરવામાં આવી હતી.
તપાસ કરતા મૃતક કેતનભાઇ કિરીટભાઇ કડિયા ઉં.૫૫ રહે,દરિયાપુર અમદાવાદ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમને મોબાઇલ નંબર મેળવી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોએ મૃતકની ઓળખ બુટ અને હાથમાં પહેરેલી વીંટીના આધારે કરી હતી. પોલીસ વિગતો પ્રમાણે, મૃતક આધેડ ૧૮મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સવારના સમયે ઘરેથી નરોડા નોકરી જવા માટે નીકળ્યા હતા.
પરંતુ સાંજે ઘરે પરત ફરવાના સમયે ઘરે આવ્યા ન હતા. જેથી પરિવારજનોએ શોધખોળ કરી હતી. તો પણ તેમની કોઇ ભાળ મળી ન હતી. જેથી પરિવારે અમદાવાદના દરિયાપુર પોલીસ મથકે જાણવા જાેગની અરજી આપી હતી. લાશ મળ્યા બાદ મૃતકનો અગ્નિસંસ્કાર ગામમાં જ કરવામાં આવ્યો હતો.
ગામના સરપંચ અને આગેવાનોની મદદથી ગામના સ્મશાનમાં પરિવારના સભ્યોએ મૃતકને અગ્નિદાહ આપ્યો હતો. વરાછાથી ગુમ થયેલા ગોડાદરાના આધેડનો સિંગણપોર કરાડા ગામ નજીક તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ૨ દિવસ પહેલા આધેડ ગુમ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કારખાના પાસેથી મળી આવેલી બાઈકમાંથી પોલીસને ચીઠ્ઠી મળી આવી હતી.
જેમાં તેમણે રક્ષાબંધનથી પિયર આવી ગયેલી પોતાની પુત્રીને ન્યાય અપાવવાની સમાજ સમક્ષ માંગણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટી ખાતે રહેતા ૫૩ વર્ષના અરજણભાઈ નાથાભાઈ બાંભણીયા વરાછા લંબેહનુમાન રોડ ખાતે આવેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા. ૬ મહિના પહેલા તેમની પુત્રીના લગ્ન થયા હતા અને રક્ષાબંધનથી તેમની પુત્રી પિયરમાં આવી ગઈ હતી. ૨ દિવસ પહેલા તેઓ ઘરેથી કારખાને ગયા હતા.SS1MS