આગ કાબુમાં આવે એ પહેલા આખી બસ બળીને ખાખ થઈ ગઈ
વલસાડમાં બસનું ટાયર ફાટતા લાગી ભીષણ આગ
(એજન્સી)વલસાડ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ખાનગી બસમાં આગ લાગી હતી. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. આગ લાગતા અંદર સવાર ૧૮ મુસાફરના જીવ જાેખમમાં મુકાયા હતા.
બનાવને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બનાવની વિગત મુજબ, અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડ જિલ્લાના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડી રહેલી આ બસનું ટાયર ફાટયું હતું.
ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. જાેકે આગ લગતા બસ ચાલકે બસ ને થોભાવી બુમાં બૂમ કરતા બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઉતરી ગયા હતા.
પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આથી સતત ધમધમતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણતા જ ફાયર બ્રિગેડની ૩ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.
જાેકે આખી બસ આગમાં સપડાઈ ગઈ હતી. આથી આગ કાબુમાં આવે એ પહેલા આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાન હાની થઈ ન હતી.